SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ થોડાક સવાલ-જવાબ ૧૪૩ ભગવાન : હું ગૌતમ ! કેવલજ્ઞાનાવરણીય કમનેા ક્ષય કરનાર જીવ કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે. ગૌતમ : હું ભગવાન ! કેટલી વગેરે પાસેથી ધમ સાંભળનાર જીવ, ઉપર પ્રમાણે, ધમ થી માંડીને કેવલજ્ઞાન વગેરે પ્રાપ્ત કરે ? ભગવાન : હું ગૌતમ ! કેવલી વગેરે પાસેથી ધમ સાંભળનારા જીવ પણ જ્ઞાનાદિનું આવરણ કરનાર તેમ જ અંતરાય કરનાર કર્માના યેાપશમ કે ક્ષય કરે, તે જ તે બધું પ્રાપ્ત કરે, નહી તે ન જ કરે. (‘શ્રી ભગવતીસાર,’ પૃ. ૧૬-૨૪, ટૂંકાવીને.) ભગવાનના આ કથનમાં આત્મસાધનામાં સ્વપુરુષા તું જે મહત્ત્વ ધ્વનિત થાય છે, તે જ જિનપ્રવચનને સાર છે, અને મીજા તે માત્ર સહાયરૂપ કે નિમિત્તરૂપ જ બની શકે, એમ કહી શકાય. (૪) જ શ્રાવકના મમત્વની મર્યાદા ગૌતન : હે ભગવન્ ! સાધુઓના ઉપાશ્રયમાં સામાયિક વ્રતના સ્વીકાર કરીને બેઠેલા શ્રાવકનાં વસ્ત્રા વગેરે કાઈ ઉપાડી જાય, તે સામાયિક પૂરું થયા પછી એ વસ્તુની તપાસ કરનાર શ્રાવક શું પેાતાની વસ્તુની તપાસ કરે છે કે મીજાની ? ભગવાન ઃ હે ગૌતમ ! એ શ્રાવક પેાતાની વસ્તુની શેાધ કરે છે, પણ ખીજાની વસ્તુની શેાધ નથી કરતા. કારણ કે, સામાયિક કરતી વખતે જોકે શ્રાવકના મનમાં એવા ભાવ હાય છે કે ‘મારે હિરણ્ય નથી, સુવણુ નથી, વસ્ત્ર નથી, દ્રવ્ય નથી’ વગેરે. પણ એણે પેાતાના મમત્વપણાને ત્યાગ કરેલ નથી, તેથી એમ કહેવાય છે કે તે પેાતાની વસ્તુની શેાધ કરે છે, પણ બીજાની વસ્તુની શેાધ કરતા નથી. Jain Education International (શ્રી ભગવતી સૂત્ર,’ શતક ૮, ઉદ્દેશક ૫; ‘શ્રી મહાવીરકથા’ પૃ. ૨૭૬ને આધારે) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy