SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ ગૌતમસ્વામી ઉપદેશ સાંભળવા. ગયા. ઉપદેશ સાંભળીને રાજા પુંડરીકનું હૃદય વૈરાગ્યના રંગે રંગાઈ ગયું. એણે મને મન ત્યાગધર્મને સ્વીકાર કસ્થાને વિચાર કર્યો અને મહેલે આવીને કંડરીકને પોતાની ભાવના કહીને રાજ્યને ભાર પિતાના ઉપર લઈ લેવા અને પિતાને સાધુધર્મને સ્વીકાર કરવાની અનુમતિ આપવા લાગણી પૂર્વક કહ્યું. પણ કંડરીક પણ ધર્માનુરાગમાં પાછો પડે એ ન હતે. એણે પોતે પણ સાધુધર્મને સ્વીકારવાની પ્રબળ ઈચ્છા દર્શાવી. પંડરીક રાજાએ એને સાધુજીવનની કઠોરતા સમજાવી અને રાજ્ય સંભાળતાં સંભાળતાં બની શકે તે ધર્મકરણી કરવા ભારપૂર્વક કહ્યું; પણ કંડરીક પિતાના નિર્ણયમાં મકકમ રહ્યો, એટલે પુંડરીકે કમને એને અનુમતિ આપી. કંડરીક મુનિ બનીને રાજવૈભવને ત્યાગ કરીને ચાલતે થે. ધર્માનુરાગી પુંડરીક, રાજમહેલમાં જળકમળ જેવું જીવન જીવીને, રાજા તરીકેની પિતાની ફરજો બજાવત રહ્યો. કંડરીક મુનિ સ્વાધ્યાય, તપ અને ખાસૂકા નીરસ આહારથી સ્વાદ ઉપર વિજય મેળવતા, ઉગ્ર સંયમ પાળતા ગ્રામ-નગરમાં વિચારવા લાગ્યા. આ સાવ રસકસ વગરને આહાર લાંબા વખત સુધી લેવાથી છેવટે એમના શરીરે જાણે બળ કરીને પિતાને ધર્મ બજાવ્યું. અને તેઓને દાહવરને અસહા વ્યાધિ થઈ આવ્યા. - એક વાર તેઓ પોતાના આચાર્ય અને મુનિસમુદાય સાથે પુંડરિગિણી નગરીમાં પધાર્યા, ત્યારે રાજા પુંડરીકે એમનું ભાવથી સ્વાગત કર્યું અને મુનિ કંડરીકને વ્યાધિ જાણીને આચાર્યને પિતાની વાહનશાળામાં પધારવાની વિનતિ કરી, જેથી મુનિ કંડરીક ગ્ય ઉપચાર થઈ શકે. - આચાર્યો એ વિનતિને સ્વીકાર કર્યો. ઉપચાર અને પથ્થકા, પિષક અને રસપૂર્ણ આહારથી મુનિ કંડરીકનું શરીર Jain Education International For Private & Personal Use Only • www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy