SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ૬૨ પશ્ચિમમાં વસતા લોકો તરીકે જણાવવામાં આવ્યા છે. તેમને એક તિરસ્કૃત જાતિ તરીકે ગણવામાં આવ્યા છે. પણ તેઓ એક લડાયક જાતિ હતી અને દ્રોણના સુપર્ણવ્યૂહમાં તેમને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અર્જુન કૃષ્ણની વિધવાઓને લઈને દ્વારકાથી પાછો ફરતો હતો, ત્યારે આભીરોએ તેના ૫૨ પંચનદમાં પ્રવેશ કરતાં જ આક્રમણ કરેલું હતું. અહીં તેમને લૂંટારા, ગોવાળિયા અને મલેચ્છો તરીકે કહ્યા છે. મનુસ્મૃતિમાં તેમને બ્રાહ્મણ પિતા અને અમ્બષ્ઠ માતાથી ઉત્પન્ન થયેલા માનેલા છે. ૩૦૩. આ ઉલ્લેખો પરથી સ્પષ્ટ જણાય છે કે બીજી જાતિઓની સાથે આ આભીરોની જાતિએ હિન્દમાં પ્રવેશ કરીને પંચનદનો અમુક ભાગ ઈસવી શતાબ્દીના પ્રારંભમાં વસાવ્યો હતો (લગભગ ઈ.સ.૧૫૦ પૂર્વે, તેનાથી આગળ નહી). તેમનો ધંધો ગાય, ઊંટ, ઘોડા આદિ અહીંતહીં ચરાવતા ફરવાનો હતો. તે માટે પંજાબની વિસ્તૃત ઉર્વા ભૂમિ અત્યંત ઉપયુક્ત હતી. ૩૦૪. અપભ્રંશ આભીરોની પોતાની ભાષા નહોતી, પરંતુ તેમના ઉચ્ચારણથી જે સ્થાનિક પ્રાકૃતનું પરિવર્તિત રૂપ થયું તે પાછળથી અપભ્રંશ કહેવાયું. આભીરના પછી આવેલ વિદેશી જાતિઓ હતી. આર્યાવર્તમાં વસી ગયાથી તેમણે સ્થાનિક પ્રાકૃતો બોલવાનો આરંભ કર્યો, પરંતુ તેઓ એક નવીન ભાષાનું ઠીકઠીક ઉચ્ચારણ કરી શકતા નહોતા, તેથી આભીરો દ્વારા પ્રાકૃતનું એક નવીન અપભ્રંશ રૂપ પ્રકટ થયું કે જે કાલાન્તરે ‘અપભ્રંશ' એ નામથી પ્રસિદ્ધ થયું. ૨૦૦ ૬૩ ૩૦૫. આભીર જાતિ ક્રમશઃ પ્રભુતા પ્રાપ્ત કરતી ગઈ. તેઓનો ઉલ્લેખ બીજા સૈકાના અને ત્રીજા સૈકાના પ્રારંભ અને મધ્ય સમયના શિલાલેખોમાં મળી આવે છે. પહેલો ઈ.સ.૧૮૧નો ક્ષત્રપ રુદ્રસિંહના રાજ્યકાલમાં છે તેમાં તે રાજાનો સેનાપતિ રુદ્રભૂતિ આભીર હોવાનું જણાવેલ છે. બીજો લગભગ ઈ.સ.૩૦૦નો નાસિકની ગુફાઓનો છે તેમાં શિવદત્તના પુત્ર ઈશ્વરસેન નામના એક આભીર રાજાનો ઉલ્લેખ છે. ત્રીજો શિલાલેખ ઈ.સ.૩૬૦ આસપાસનો સમુદ્રગુપ્તનો છે કે જે અલ્લાહાબાદના સ્તંભ પર ખોદેલો છે તેમાં આભીર અને માલવ જાતિ રાજસ્થાન, માલવ અને ગુપ્ત સામ્રાજ્યની પેલી પાર દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમના પ્રાંતોમાં નિવાસ-શાસન કરતી પ્રબલ જાતિઓ હતી એમ જણાવેલું છે. ઝાંસીની દક્ષિણે હમણાં ‘અહિ૨વા૨’ નામનો એક પ્રાંત છે તેનું સંસ્કૃત નામ આભીરવાટ છે તે પરથી ધારી શકાય છે કે તે જે ૬૪ ૬૨. મનુસ્મૃતિ, અધ્યાય ૯-૧૫, – “બ્રાહ્મણાત્...... આભીરોડમ્બષ્ઠકન્યાયામ્ ।” ૬૩. જુઓ ડી. આર. ભાંડારકરનો લેખ, ઇન્ડિઅન એંટિક્વેરી, ૧૯૧૧, પૃ.૧૬ તથા આર. ઈં. ઍન્થોવનનો ગ્રંથ નામે ‘ટ્રાઇબ્ઝ ઍન્ડ કાસ્ટ્સ ઑવ્ બૉમ્બે', પુસ્તક ૧, પૃ.૨૧ (તેમાં આહીર સંબંધી હકીકત ડી. આર. ભાંડારકરે પૂરી પાડી છે). આના સંબંધી ૨. બ. ગૌરીશંકર ઓઝાજીનો અભિપ્રાય જુદો જ પડે છે. ૬૪. ઉક્ત ભાંડારકર તથા ઍન્ગ્રોવનકૃત લેખ તથા ગ્રંથ; વિન્સેન્ટ સ્મિથનું ‘અર્લી હિસ્ટરી ઓવ્ ઇન્ડિઆ’, પૃ.૨૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy