________________
તપાગચ્છની પટ્ટાવલી
૧. વલ્લભસૂરિ : પ્રભાનંદને સૂરિપદ મળવાથી દુભાઈને જાડોલ ગયા અને સંઘે ઉદયપ્રભસૂરિને આગ્રહપૂર્વક તેડાવીને તેમને પણ આચાર્યપદ અપાવ્યું, સં.૮૩૨. આમ વલ્લભી શાખા અસ્તિત્વમાં આવી. તેઓ નાડોલમાં જ સ્વર્ગે સંચર્યા.
૨. ધર્મચન્દ્રસૂરિ : સં.૮૩૭. એમના ઉપદેશથી લહિર નામના પોરવાડ શ્રેષ્ઠીએ સં.૮૩૬માં નારંગપુરમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું.
૩. ગુણચન્દ્રસૂરિ : સં.૮૬૯.
૪. દેવચન્દ્રસૂરિ : સં. ૮૯૯.
૫. સુમતિચન્દ્રસૂરિ : સં.૯૨૫. .
૬. હરિશ્ચન્દ્રસૂરિ : સં.૯૫૪,
૭. રત્નસિંહસૂરિ : સં.૯૭૦. તેમણે સં.૧૦૪૫માં (?) રણથંભોર પાસેના આછબુ ગામના ધાંધલ શેઠને પ્રતિબોધી જૈન કર્યો.
૮. જયપ્રભસૂરિ સં. ૧૦૦૬. એમણે સં.૧૦૦૭માં ભિન્નમાલના રાઉત સોમકરણને પ્રતિબોધી જૈનધર્મી કર્યો.
૯. સોમપ્રભસૂરિ : સં.૧૦૫૧. એમના ઉપદેશથી મંત્રીશ્વર વિમલે આબુ ઉપર શ્રી આદીશ્વર ભગવાનનો જિનપ્રાસાદ બંધાવ્યો; જોકે અન્ય ગચ્છો આ માટે પોતાના આચાર્યને આ યશ આપે છે. સોમપ્રભસૂરિ અને અંચલગચ્છના ૪૫મા પટ્ટધર વીરચન્દ્રસૂરિ વચ્ચે સ્નેહભાવ ન હતો.
૧૧૯
૧૦. સૂરપ્રભસૂરિ : સં.૧૦૯૪. ૧૧. ક્ષેમપ્રભસૂરિ ઃ સં.૧૧૪૫.
૧૨. ભાનુપ્રભસૂરિ : સં.૧૧૭૭, સં.૧૧૭૯ના અરસામાં એમનો વિહાર સોપારા ત૨ફ હતો, જ્યાં અંચલગચ્છના ૪૮મા પટ્ટધર જયસિંહસૂરની માતા નેઢીને આવેલા સ્વપ્નનો અર્થ એમણે કહી બતાવ્યો હતો.
૧૩. પુણ્યતિલકસૂરિ : સં.૧૨૦૭. આ મહાપ્રભાવક આચાર્ય હતા અને એમણે સં.૧૨૦૨, ૧૨૧૨ અને ૧૨૯૫માં કરેલી પ્રતિષ્ઠાઓની માહિતી મળે છે. સં.૧૨૨૧માં બેણપના રાઉ સોમિલને, ૧૨૨૬માં નગરપારકરના ઉદ્દેપાલ ક્ષત્રિયને અને ૧૨૪૪માં રાઉ વણવીરને પ્રતિબોધી એમણે જૈનધર્મી કર્યાં હતા.
૧૪. ગુણપ્રભસૂરિ : સં.૧૨૫૯.
૧૫. સિંહપ્રભસૂરિ.]
૫૨. અજિતસિંહ : ડોડ ગામમાં (મેરુ. પ્ર. ચિં. તથા શત.માં કોક ગામમાં) જિનદેવ શેઠ પિતા, જિનદેવી માતા, જન્મ સં.૧૨૮૩. દીક્ષા સં.૧૨૯૧, આચાર્ય ૧૩૧૪ (અણહિલપાટણમાં), ગચ્છનાયકપદ જાલોરમાં સં.૧૩૧૬. સ્વ. વર્ષ ૫૬ની વયે સં.૧૩૩૯.
L૯-૯
તેમણે સુવર્ણનગરી(જાલોર)ના રાજા સમરસિંહને પ્રતિબોધી દેશમાં થતી જીવહિંસા બંધ કરાવી. (શિલાલેખ સં.૧૩૪૨ અને ૪૪ કિલ્હૉનં. ઈં.ઍન્ટિ., વૉ.૧૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org