SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૦૧ સં.૧૪૩૧, દીક્ષા સં.૧૪૩૯, આચાર્યપદ સં.૧૪પ૩. તેમણે કલ્પાંતરવાચના' વગેરે ગ્રંથ લખ્યા. તેમના એક શિષ્ય રત્નસાગરને સૂરિપદ આપ્યું. તે રત્નાકરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે “રત્નાકર-પંચવિંશતિ રચી. (?) હેમહંસસૂરિના પ્રતિષ્ઠાલેખો મળે છે તે સં.૧૪૮૫-૯૦-૧૫૦૭, ના.૧; સં.૧૪પ૩-૬૬-૭૫-૯૦-૯૬-૯૮-૧૫૦૧-૦૪-૧૦-૧૧-૧૩, ના.૨. હેમહંસસૂરિના પટ્ટે હમસમુદ્રસૂરિ થયા કે જેના પ્રતિષ્ઠાલેખો સં.૧૫૧૭૧૫૨૧ના મળે છે, ના.૧; અને હેમસમુદ્રની પાટે હેમરત્નસૂરિ થયેલા કે જેમનો પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૩૭નો મળે છે, ના. ૨; અને જેમના રાજ્યમાં ક્ષમાસમુદ્ર સં.૧પ૩રમાં લખેલ પ્રત ચુનીજીના ભં. નયાઘાટ કાશીમાં છે. હિમહંસ સ્વ. સં.૧૫૧૬. હેમસમુદ્ર-હેમરત્નની નીચે પ્રમાણે પરંપરા મળે છે ? સોમરત્ન (સં.૧૫૪પથી ૧૫૭૯. તેમણે સાધુર–શિષ્ય પાર્શ્વચન્દ્રને ઉપાધ્યાયપદ આપ્યું હતું, જુઓ ક્ર.૫૪ના પેટામાં)-રાજરત્ન—ચન્દ્રકીર્તિ (સં.૧૬૬૮માં “સારસ્વત વ્યાકરણની “ચન્દ્રકીર્તિ ટીકા તથા સં.૧૬૩૦ આસપાસ રત્નશેખરના છંદડકોશ' પર ટીકા રચી છે)-હર્ષકીર્તિ (કૃતિઓ હવે પછી ક્ર.પ૬ સમરચન્દ્રમાં જુઓ). ચન્દ્રકીર્તિમાનકીર્તિ-અમરકીર્તિ (જુઓ હવે પછી ક.પ૯. જયચન્દ્રના પેટામાં).] પ૨. લક્ષ્મીનિવાસ : આચાર્યપદે સં.૧૪૭૦માં વિદ્યમાન. ૫૩. પુણ્યરત્ન : આચાર્યપદે સં. ૧૪૯૯માં વિદ્યમાન. ૫૪. સાધુરત્ન : સંઘવીગોત્રીય સં.૧૫૩૭ આચાર્યપદ, સ્વ. સં.૧૫૬૫. આ સમયમાં આ નાગોરી ગચ્છમાં સોમરત્નસૂરિ પણ હતા એમ તેમના સં.૧પ૪પ અને સં. ૧૫૭૯ના ના. ૧ના પ્રતિષ્ઠાલેખ પરથી જણાય છે. સોમરત્ન માટે જુઓ ક. ૫૧ના પેટામાં.] ૫૫. પાઠ્યચન્દ્ર : હમીરપુરવાસી પ્રાગવંશ વેલ્ડંગ શાહ પિતા, વિમલાદ માતા, જન્મ સં.૧૫૩૭. દીક્ષા સં.૧૫૪૬, ઉપાધ્યાયપદ સં.૧૫૫૪, આચાર્યપદ સં. ૧૫૬૫, યુગપ્રધાનપદ સં.૧૫૯૯, સ્વર્ગગમન સં.૧૬૧૨ માગશર શુદિ ૩ જોધપુર. ગૂર્જર ભાષામાં અનેક ગદ્યપદ્ય કૃતિઓ રચી. તેમના એક શિષ્ય વિજયદેવસૂરિ હતા કે જેમના શિષ્ય બ્રહ્મર્ષિ (વિનયદેવસૂરિ) થયા કે જેમણે “દશાશ્રુતસ્કંધસૂત્રવૃત્તિ', “જબૂદ્વીપ-પન્નતિ-વૃત્તિ', પાખીસૂત્રવૃત્તિ વગેરે રચેલ છે. પ્રતિષ્ઠાલેખ સં.૧પ૭૭, ના.૨. આ પાચન્દ્રથી પાર્શ્વચન્દ્ર (પાયચંદ) ગચ્છ શાખા નીકળી. વળી તેમના સંઘાડામાં રાજરત્નસૂરિ ને તેમના શિષ્ય ચન્દ્રકીર્તિસૂરિ વગેરે હતા. હિમીરપુર આબુતીર્થ પાસે. જન્મમિતિ ચૈત્ર સુદ ૯ શુક્રવાર, જ્ઞાતિ વીસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy