SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રસ્તાવના ૨૫ જીવનિકાયના અનેક પ્રકારના જીવો કેવો કેવો આહાર લે છે તેનું વિરતારથી વર્ણન છે. સૂત્ર ૭૪૬ નાં અંતમાં આહારગુપ્ત (આહારમાં વિવેકી) બનીને સંયમાનુષ્ઠાનમાં ઉદ્યમશીલ બનવાનો ઉપદેશ છે. વીસમું અધ્યયન-આનું નામ પવરવાઇજિરિયા (પ્રત્યાખ્યાનક્રિયા) છે. જીવે હિંસા આદિનું જ્યાં સુધી પ્રત્યાખ્યાન ન કર્યું હોય ત્યાં સુધી હિંસા આદિ પાપ ન કરે તો પણ તેને અવશ્ય પાપબંધ થાય છે. તેથી સાચા સંયમી થવા માટે પ્રત્યાખ્યાન કરવું અત્યંત જરૂરી છે. આ વાત ચર્ચા-વિચારણપૂર્વક યુક્તિ-ઉદાહરણ આપીને આમાં સિદ્ધ કરેલી છે. સૂ. ૭૫૩ માં સંયત તથા વિરત સાધુ કેવા હોય છે તેનું વર્ણન છે. એકવીસમું અધ્યયન–આ અધ્યયનનાં ૧ માયારસુત (આચારભૃત), ૨ ૩ળાયા કુત (અનાચારકૃત) તથા ૩ મનસુત (અનગારભૃત) એવાં ત્રણ નામોનો ઉલ્લેખ મળે છે. જુઓ પૃ. ૨૧૭ ટિ. ૧. શું બોલવું જોઈએ અને શું માનવું જોઈએ એ આચારનું, તથા શું બોલવું ન જોઈએ અને શું માનવું ન જોઈએ એ અનાચારનું આમાં વર્ણન છે અને અનાચારનો ત્યાગ એ પરમાર્થથી અનગારપણાનું (સાચા સાધુપણાનું કારણ છે તેથી આ ત્રણે નામો અપેક્ષાઓ ઘટી શકે છે. સૂ. ૭૫૫–૭૬૪માં કેટલાંક એકાંતવચનોને અયોગ્ય જણાવીને, સૂ૦ ૭૬૫–૭૮૨ માં લોક-અલોકજીવ-અછવ-ધર્મ-અધર્મ-બંધ-મોક્ષ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-વેદના-નિર્જરા-ક્રિયા-અક્રિયાક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-સંસાર-દેવ-દેવી-સિદ્ધિ - અસિદ્ધિ - સાધુ અસાધુ કલ્યાણ અકલ્યાણ નથી” આ માન્યતાને અનાચાર જણાવીને, છેવટે કેટલાંક અનાચરણીય વચનોને જણાવીને જિનેશ્વરે બતાવેલા માર્ગે વર્તવાનો સાધુને ઉપદેશ આપ્યો છે. - બાવીસમું અધ્યયન—આનું નામ મંદ (આકીય) છે.* આર્કિકુમારનો ગોશાલક, બૌદ્ધ સાધુઓ (સૂ) ૮૧૨-૮૨૮), (બ્રાહ્મણ) બ્રહ્મવતીઓ (સૂ૦ ૮૨૯-૮૩૨), પત્રિદંડીઓ (સૂ૦ ૮૩૩-૮૩૭) તથા હસ્તિતાપસ (સૂ૮૩૮-૮૪૦) સાથે જે વાદ (વાર્તાલાપ) થયો હતો તેનું આમાં વર્ણન છે. ગોશાલક આદિની વિચિત્ર માન્યતાઓ આમાં જાણવા મળે છે. તેવીસમું અધ્યયન-રાજગૃહ નગરની બહાર ઈશાન કોણમાં નાલંદા નામે સ્થાન હતું. ત્યાં લેપ નામનો ધનાઢ્ય ધાર્મિક શ્રમણોપાસક વસતો હતો. નાલંદાથી ઈશાન કોણમાં આ ૧. અપ્લાયના વર્ણનમાં વાતયોનિક અપકાયનું પણ વર્ણન છે. જુઓ પૃ. ૨૦૬ ટિ. ૧૦. આજના વિજ્ઞાનમાં ઑકિસજન અને હાઈડ્રોજન વાયુના મિશ્રણથી HO પાણી ઉત્પન્ન થાય છે એવી જે. વાત છે તેની સંગતિ પણ જૈન સિદ્ધાંત સાથે બરાબર થાય છે. ૨. પૃ. ૨૦૯ ૫. ૧૧ માં ૭૪૭ સૂત્રાંક ભૂલથી છપાયો છે. વસ્તુતઃ આ વાક્ય સૂ૦ ૭૪૬ નો ભાગ છે. ૩. આ અધ્યયનને અંતે બધી હસ્તલિખિત પ્રતિઓમાં ગળાચાર્યું કે ગળાચારd શબ્દ મળતો હોવાથી અમે મviાચારસુત નામ રાખ્યું છે. ૪. આદ્રકુમારનું વિસ્તારથી જીવનચરિત્ર નિર્યુક્તિ, ચૂર્ણિ તથા વૃત્તિમાં છે. આદ્રકુમાર ભગવાન મહાવીર પાસે જઈ રહ્યા છે ત્યારે આ વાદ થયો છે. ૫. અહીં વૃત્તિમાં પુનરપિ ત વૈવારિનઃ સાંસારિક નીવપરાર્થનાથાપાનાચાઃ (g. ૪૦૨) એમ કહેલું છે, પરંતુ ચૂર્ણિમાં મર્થનું વિહં ત્રિાવુથ્વીર ઝીવ પર થતા ત્રિાના પરિવાર્ય ૩મચપક્ષવિદ્ધામિરરીમિષ્ટમાળા gવમૂવુઃ એમ સ્પષ્ટ કહેલું છે. નિર્યુક્તિમાં પણ મઝાન નોસાઇમિg-āમવતી-તિરંડી નટ્ટુ શુરિથarati fથે રૂમો તદ્દા પુર૪ / ૧૧૦ - જોસા-મવડુ-ચંપી-તિવડિયા-તાવણે િસદ્દ વાવો / ૧૧૮ એ સ્પષ્ટ ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy