SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] ધનમમત્વમાચન [ 2 અતાવે છે. અને છેલ્લા વખતમાં બેર અને અંગ્રેજોનુ' યુદ્ધુ અને જાપાન તથા રશિયાનું યુદ્ધ પૈસાપ્રાપ્તિ સારું જ હતું' એમ જણાઈ આવે છે. ઇતિહાસમાં લેહીની નદીઓ વહી છે તે સ` આ લક્ષ્મીની પ્રાપ્તિ માટે જ બહુધા થયેલી હાય છે. આવાં કારણેાથી તીથ કર મહારાજ તે થાળી ટીપી ટીપીને કહી ગયા છે કે ભાઈ આ ! પૈસાના લાભ કરશે નહિ, પૈસાથી નરક બહુ નજીક આવે છે. અહી' ગ્રંથકર્તા સુખ મેળવવા ખાતર ધન મેળવવાની પ્રવૃત્તિનું પરિણામ બતાવે છે તે તદ્દન ખ'ધબેસતુ` છે. આપણે તેથી જરા આગળ વધીને જોઈશુ તા જણાશે કે ઘણી વખત તદ્દન હેતુ વગર જ ધન મેળવવાની પ્રવૃત્તિ થાય છે. સુખ તેા ધન પ્રાપ્ત કરનારને મળતું જ નથી, કારણ, તે તે પ્રવૃત્તિમાં જ મગ્ન રહે છે; પણ જેને પેાતાની પાછળ સંતતિ ન હાય, થવાના સ ́ભવ પણ ન હેાય, પાતના ખરચ મર્યાદિત હાય, તેનાથી હજારાગણી લક્ષ્મી પ્રાપ્ત થઈ ગઈ હાય તે પણ રાત્રિ-દિવસ ધનની ધમાધમમાં મચી રહે છે અને તેનુ દ્રવ્ય કાણુ ખાશે તેના પૂરતા ખ્યાલ પણ કરતા નથી. આવી રીતે આખા જીવનમાં પૈસા-પૈસા કરી મરણના કાંઠા નજીક આવી પહેાંચે છે ત્યારે જ તેને સમજાય છે કે પોતે બહુ ભૂલ કરી, હેતુ વગરની પ્રવૃત્તિ કરી. પછી તેને જે પશ્ચાત્તાપ થાય છે તેથી કાંઈ લાભ થતા નથી. આવી રીતે હેતુ વગર, માત્ર ધનના માહથી જ, તે ધનને પ્રાપ્ત કરવા પાછળ પ્રાણી ગાંડા થઈ જાય છે એ અતિ ખેદના અને વિચાર કરવા ચેાગ્ય વિષય છે, (૧,૪૭) ધન એહિક અને આમુષ્મિક દુ:ખ કરનાર છે यानि द्विषामप्युपकारकाणि, सर्पोन्दुरादिष्वपि यैर्गतिश्च । शक्या च नाप मरणामयाद्या, हन्तुं धनेष्वेषु क एव मोहः || २ || ( इन्द्रवज्रा ) “ જે પૈસા શત્રુને ઉપકાર કરનારા થઈ પડે છે, જે પૈસાથી સર્પ, ઊંદર વગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણ, રાગ વગેરે કાઇ પણુ આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી, તેવા પૈસા ઉપર. તે માહ શા ?’” (૨) 6 વિવેચન—વ્યવહારમાં પૈસાદારને આસમાનમાં ચઢાવી દેવામાં આવે છે. સર્વે ગુળાઃ काश्वनमाश्रयन्ते, વસુવિના નર પશુ ’ વગેરે વ્યાવહારિક વાકયો કેટલેક અ'શે આડે માગે ઢારનારાં છે તે અત્ર ખતાવે છે. પ્રથમ પદ્યમાં બહુ સરસ ભાવ ખતાન્યેા છે. શત્રુ ધન લૂટી જઈ, અને તે જ ધનથી ખળવાન થઈ, તારી સામે તે વાપરે છે. પરશુરામે મહાસ‘હાર કરી નક્ષત્રી (ક્ષત્રિય રહિત) કરેલી પૃથ્વી અને દોલત સવ સુભૂમને ભાગ પડયાં. પ્રતિવાસુદેવા મહામહેનત કરી ત્રણ ખંડનુ રાજ્ય એકઠું કરે છે તે વાસુદેવના ઉપભાગમાં આવે છે, અને પ્રતિવાસુદેવનું ચક્ર તેનુ' પેાતાનુ' જ માથુ છેદે છે. આવી રીતે આપણા પૈસાથી આપણા શત્રુ પણ બળવાન થઈ શકે છે. બહુ લાભી પ્રાણીએ મરણ પામીને પેાતાના ધન ઉપર સર્પ કે ઊંદર થાય છે, એવી વાત આપણે શાસ્ત્રમાં વારવાર વાંચીએ છીએ. આ ભવમાં જ નહિ પણ પરભવમાં પશુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy