SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર] સીમમત્વમેચન [ ૭૧ એ પદાર્થો તરફ પશુઓ ખેંચાઈ આવે એવા પદાર્થો છે.) સ્ત્રીરૂપ શસ્ત્રથી જ જ્યારે કામી જિતાઈ જાય છે ત્યારે કામદેવ શા માટે તદ્દન નામનું શસ્ત્ર હાથમાં લેતો નથી; અર્થાત્ ગમે તેવા શસ્ત્રથી પણ કામી જિતાઈ જશે, એને જીતવા માટે મોટાં શસ્ત્રોની જરૂર પડશે નહિ. સ્ત્રીઓમાં ચાપલ્ય, માયા વગેરે દોષે સ્વાભાવિક હોય છે. નૈતિક શાસ્ત્રમાં કહ્યું છે કે “અસત્ય, સાહસ, માયા, મૂર્ખાઈ, લભીપણું, અપવિત્રપણુંનિર્દયપણું–એટલા દેશે સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતે જ હોય છે. આપણે અનુભવ છે કે જૂના સંસારમાં અમદાવાદી કિનખાબ સારુ કજિયા થાય છે ત્યારે સુધરેલા સંસારમાં ફેંચ સિલ્ક સારું કજિયા થાય છે; પરંતુ વાત એકની એક જ છે. ચાલુ જમાનાની ખરાળ જિંદગીમાં સ્ત્રીઓ કેટલે દરજજે જવાબદાર છે તે એક વિચારવા જેવો સવાલ છે. ખાદી–પ્રચારમાં સ્ત્રીવર્ગ કેટલો પછાત છે તેનાં કારણો ખ્યાલમાં લેવા ગ્ય છે. સ્ત્રીભાગનું ફળ શું થાય? વિષયાનંદમાં ધર્મભાવ તે રહે જ નહિ, તેમાં પણ વિશેષે કરીને સ્પર્શેન્દ્રિયના ભાગમાં તે મન-ઈદ્રિય એકાકાર પ્રવર્તે ત્યારે જ આનંદ થાય છે. આનું પરિણામ શું આવે? શાસ્ત્રકાર ફરમાવી ગયા છે કે સાધુ જો સ્ત્રીને સંબંધ કરે તે બહુ પાપ બાંધે; જે પાપનું વર્ણન સાંભળતાં કંપારી થાય તેમ છે; અને સમકિતથી પણ ભ્રષ્ટ થાય. અને ગૃહસ્થને સ્ત્રીભગ નરકગમન કરાવનાર થાય. આવી રીતે જુએ કે સ્ત્રી શરીરમાં કાંઈ વખાણવા જેવું નથી. સ્ત્રીને સ્વભાવ ઉક્ત પ્રકાર છે અને તેને ભેગવવાથી પરિણામે આ ભવમાં અને પરભવમાં મહાદુઃખ થવાનું છે. હવે આટલું બતાવ્યા પછી શું કરવું જોઈએ તે મનમાં જ સમજી જાઓ. ( ૪૧) લલના મમત્વમેચનદ્વારનો ઉપસંહાર અને સ્ત્રીની હીન ઉપમેયતા निभूमिर्विषकन्दली गतदरी व्याघ्री निराह्वो महाव्याधिर्मृत्युरकारणश्च ललनाऽनभ्रा च वज्राशनिः । बन्धुस्नेह विघातसाहसमृषावादादिसन्तापभूः, प्रत्यक्षापि च राक्षसीति विरुदैः ख्याताऽऽगमे त्यज्यताम् ॥८॥ (शार्दूलविक्रीडित)* “ી ભૂમિ વગરની (ઉત્પન્ન થયેલી) વિષની વેલડી છે, ગુફા વગરની વાઘણ છે, નામ વગરને માટે વ્યાધિ છે, કારણ વિનાનું મૃત્યુ છે, આકાશ વગરની વીજળી છે, સગાં અથવા ભાઈઓના સ્નેહને નાશ, સાહસ, મૃષાવાદ વગેરે સંતાપનું ઉત્પત્તિસ્થાન શાર્દૂલવિક્રીડિતમાં ૧૮ અક્ષર હોય છે. મ, ખ, ગ, સ, ર, ત તથા , (૧૨–૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy