SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મકલ્પકુમ દ્વિતીય मा जाणसि जीव तुमं पुत्तकलत्ताइ मज्झ सुहहेऊ । निउणं बंधणमेयं, संसारे संसरंताणं ॥ હે જીવ! પુત્ર, સ્ત્રી વગેરે માટે સુખનું કારણ છે એમ તું જાણીશ નહિ; કારણ કે સંસારમાં ભ્રમણ કરતા આ જીવને એ પુત્ર અને સ્ત્રી વગેરે ઊલટાં દઢ બંધન છે.” મેહનું આવું સ્વરૂપ જાણી જેમ બને તેમ મેહ એ છે કરે અને સંસાર પર ઉદાસીન ભાવ રાખવો એ અત્ર ઉપદેશ છે. શંગારના વિષયમાં ગળે આલિંગન કે બંધન કરવું એ ઉત્કૃષ્ટ રસ શગારના કવિએ ગણે છે; એ વાસ્તવિક રીતે શું છે એને ખરો ખ્યાલ કવિએ અત્ર આ છે, હીનામા ન થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખી યથાસ્થિત સ્વરૂપનું દિગ્દર્શન કરાવ્યું છે. (૧; ૩૫) * સ્ત્રીઓમાં રહેલી અરમણીયતા चर्मास्थिमज्जान्त्रवसास्रमांसामेध्यायशुच्यस्थिरपुद्गलानाम् । સ્ત્રીવિષ્ણાતિ સ્થિતેy, જે પિસ્થતિ સ્થમામનું ? ૨ | (w) સ્ત્રીના શરીરપિંડની આકૃતિમાં રહેલાં ચામડી, હાડકાં, ચરબી, આંતરડાં, મેદ, લેહી (રુધિર), માંસ, વિષ્ટા વગેરે અપવિત્ર અને અસ્થિર પુદગલોમાં હે આત્મન ! તું સુંદર શું જુએ છે?” (૨) વિશેષ વિવેચન બીજી અને ત્રીજી ગાથાનું એકસાથે નીચે કરવામાં આવ્યું છે. (૨;૩૬) અપવિત્ર પદાર્થોની દુર્ગધ; સ્ત્રી શરીરને સંબંધ विलोक्य दूरस्थममेध्यमल्पं, जुगुप्ससे मोटितनासिकस्त्वम् । મૃતે તેનૈવ વિખૂટ! ઘોષagsg a gsfમજાપ? A રૂ . ( વા ) “હે જડ! દૂર રહેલી જરા પણ દુર્ગધી વસ્તુ જોઈને તું નાક મરડીને દુર્ગછા કરે છે, ત્યારે તેવી જ દુર્ગધથી ભરેલ સ્ત્રીઓના શરીરની તું કેમ અભિલાષા કરે છે ?” (૩) - વિવેચન–મલ્લિકુવરીને પરણવાની ઈરછાએ આવનાર છે રાજાઓને પ્રતિબંધ પમાડવા માટે સ્વ-શરીરપ્રમાણ પૂતળી કરી, તેમાં ઉત્તમ ઉત્તમ ખાવાના પદાર્થો નાખી રાજાઓ સમક્ષ ખેલતાં દુર્ગધ પ્રસરી, તેથી સર્વ યે રાજાઓને પ્રતિબંધ થયો અને તે પરથી સર્વને ખ્યાલ આવ્યો કે શરીરમાં તે માંસ, રુધિર વગેરે ગટરખાનું જ ભરેલું છે; ફક્ત તે અપવિત્ર પદાર્થો ઉપર ચામડી મઢી લઈ તે શરીરને સુંદર દેખાડ્યું છે. માહથી આ જીવ અંદર જતો નથી, અને તેથી જ તેને ઉપરનું સૌંદર્ય દેખાય છે. “નગરપાળ પરે નિત્ય વહે, કફ મળ મૂત્ર ભંડારે રે, તિમ દ્વારે રે; નર નવ, દ્વાદશ નારીનાં એ.” * અહીં તેમ જ આગળ બધે દરેક ક્ષેકના વિવેચનને અંતે આપેલ આ બે અંકમાં પહેલે અંક તે તે અધિકારના લોકો અંક બતાવે છે, અને બીજો અંક સળંગ લેકને એક સચિત કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy