SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન ભગવતીસૂત્રના નામે સુપ્રસિદ્ધ વિયાહવળત્તિમુત્તું ગ્રંથના આ ત્રીજા ભાગના પ્રકાશન સાથે એટલે સમગ્ર ભગવતીસૂત્રનું સંપૂર્ણ પ્રકાશન કરીને અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. આ ગ્રંથનો સંક્ષિપ્તતર પરિચય અને મહિમા અમે પ્રથમ ભાગના પ્રકાશકીય નિવેદનમાં જણાવેલ છે. આ ત્રીજા ભાગમાં ભગવતીસૂત્રના ૨૬મા શતકથા ૪૧મા શતક સુધીની વાચના છે, અર્થાત્ ભગવતીસૂત્રની વાચના પૂર્ણ થાય છે. આ ગ્રંથના ખીજા ભાગના પ્રકાશકીય નિવેદ્યનમાં જણાવ્યા પ્રમાણે, આ ગ્રંથમાં, ૫૦ અમૃતલાલ મોહનલાલ ભોજકે પરિશ્રમપૂર્વક તૈયાર કરેલાં સમગ્ર ભગવતીસૂત્રનાં પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે (જુઓ પૃ. ૧૧૯૧ થી ૧૫૭૭). આમાં જેસલમેરના સુખ્યાત જ્ઞાનભંડારની પ્રાચીન તાડપત્રીય પ્રતિના સાદ્યંત મહત્ત્વના પાઠભેદો પણ આપેલા છે, (જુઓ પૃ. ૧૫૫૮ થી ૧૫૭૩). અમારી આગમ-પ્રકાશન-ગ્રંથમાળામાં આજ પર્યંત, પ્રસ્તુત ગ્રંથસહિત કુલ નવ આગમસૂત્રો પ્રકાશિત થયાં છે, તે આ પ્રમાણે— ૨. નૈવિદ્યુત્તું- ૨. અનુયોગદ્દા (એક ગ્રંથમાં), ३. पण्णवणासुत्तं भाग १ - २, ૪. ગાયારસુä, ૬. સૂર્યપુરું, . સવેયાયિનુΖ ૭. અત્તરક્ષયાનૢ ૮. ગાવસ્કસુત્ત ૧ (એક ગ્રંથમાં), ૧. વિયાજ્જવળત્તિમુત્ત માળ ૨-૨-રૂ. ટાળંગપુરું તથા સનવાયું પુત્ત, આ બે આગમ ગ્રંથોનું શ્રમસાધ્યું સંપાદન, પૂજ્યપાદ વિર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે કર્યું છે અને તેના મૂલપાઠનું મુદ્રણુ પૂરું થયું છે. પરિશિષ્ટોના મુદ્રણ પછી આ એ ગ્રંથો પણ ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. કુલ ૪૫ જૈન આગમગ્રંથોમાં વય =પ્રકીર્ણક નામથી પ્રસિદ્ધ ૧૦ આગમસૂત્રોનો સમાવેશ થાય છે. આ પ્રકીર્ણકોની સંખ્યાની ચોક્કસ પરંપરા આપણી પાસે નથી. વર્તમાનમાં કુલ ૨૦ પ્રકીર્ણકો મળે છે શ્રી શ્વેતાંબર જૈન કૉન્ફરન્સ દ્વારા પ્રકાશિત થયેલ ‘જૈન ગ્રંથાવલી ’ ગ્રંથમાં આ ૨૦ પ્રકીર્ણકોમાંથી કેટલાંક પ્રકાણુંકોનું પરાવર્તન કરીને, ત્રણ પ્રકારે ૧૦ પ્રકીર્ણાંકોનો ક્રમ જણાવ્યો છે. આથી પૂજ્યપાદ આગમપ્રભાકર મહારાજે સમગ્ર ૨૦ પ્રકીર્ણાંકો પ્રકાશિત કરવાનું નક્કી કરેલું અને તદ્દનુસાર તેની મુદ્રણાä નકલો કરાવીને કેટલાંક પ્રકીર્ણકોનું સંપૂણૅ સંશોધન પણ કરેલું. આ કાર્ય ચાલુ હતું તે સમયમાં જ પૂજ્યપાદ આગમપ્રભાકર મહારાજનો દુઃખદ દેહાંત થયો. સૂચિત ૨૦ પ્રકીર્ણકોમાં મુખ્યતયા આત્મહિતશિક્ષાની સામગ્રી ભરી પડી છે. તેને અનુલક્ષીને કેટલાંક આરાધનાપ્રકરણો અને કુલકો પશુ, પરિશિષ્ટરૂપે, પ્રકીર્ણકોની સાથે લેવા માટે પૂજ્યપાદ આગમપ્રભાકર મહારાજે તે તે કૃતિઓની સામગ્રી પણ એકત્રિત કરેલી હતી. આ સમગ્ર સામગ્રીના આધારે પ્રકીર્ણકો આદિના સંપાદનનું શેષ કાર્ય પં૦ અમૃતલાલ મોહનલાલ ભોજક કરી રહ્યા છે, અને તેના આઠ ફૉર્મમાં ચાર પ્રકીર્ણકો મુદ્રિત પણ થયાં છે. અમે અમારાં અગાઉનાં પ્રકાશનોમાં જણાવ્યું છે તેમ, પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુત-શીલવારિધિ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના દેહાવસાન પછી, પૂજ્યપાદ વિણ્ય મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે સમગ્ર આગમગ્રંથોના સંપાદનકાર્યની મોટી જવાબદારી સ્વીકારીને અમને ઉપકૃત તથા ચિંતામુક્ત કર્યાં છે. તેઓશ્રીના સંપાદનમાં મૂલપાની શુદ્ધિ ઉપરાંત જૈન અજૈન શાસ્ત્રો સાથે તે તે આગમસૂત્રની તુલના વગેરે હોય છે. આથી અમારી આગમ પ્રકાશન ગ્રંથમાળામાં પ્રકાશિત થતા આગમસૂત્રોની ઉપયોગિતામાં સવિશેષ પિદ્ધ થતી જાય છે, આથી અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001020
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1982
Total Pages556
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy