SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠશ્રી અમીચંદજી પનાલાલજી શ્રીમતી કુંવરબાઈ અમીચંદજી પનાલાલ બાબુ શેઠશ્રી અમીચંદ પનાલાલે બંધાવેલ દેરાસરનો ઇતિહાસ વાલકેશ્વરના મૂલનાયક ભગવાન શ્રી આદીશ્વરજી દાદાની મૂર્તિની આશ્ચર્યજનક ઘટના શેઠાણી શ્રી કુંવરબાઈને જિનમંદિર બંધાવવાની ભાવના પ્રગટી વિ. સં. ૧૯૫૯ના અરસાની આ વાત, ત્યારે વાલકેશ્વરમાં જનોનાં ગણતરીનાં ઘરો, અન્ય સમાજથી વસ્તી પણ ઓછી. એ વખતે વાલકેશ્વરમાં બાબુ શેઠશ્રી અમીચંદજી પનાલાલજી કુટુંબ પરિવાર સાથે રહેતા હતા. તેમના ધર્મપત્નીનું નામ શ્રીમતી કુવરબેન. શેઠશ્રી મૂલવતની તો ગુજરાત પાટણના પણ વરસોથી મુંબઈ વાલકેશ્વરમાં આવીને વસેલા, ઝવેરાતનો એમનો ધંધો. શેઠશ્રીનાં ધર્મપત્ની કુંવરબાઈ ખૂબ જ ધર્મભાવનાવાળાં બહેન હતાં એટલે એમને એક વાતનો હંમેશ રંજ રહ્યા કરતો કે આત્મકલ્યાણુમાં પરમાલંબન જેવા જિનેશ્વરદેવની મૂર્તિનાં દર્શનની મને-સહુને લાભ ન મળે એ તો એક મોટા દુર્ભાગ્યની જ બાબત ગણાય એટલે એક જિનમંદિર અહીં બંધાવાય તો કેવું સારું! એવી પુણ્ય વિચાર એક શુભ પળે પ્રગટ્યો. એ વિચાર એમના પતિ શેઠશ્રી અમીચંદજી આગળ વ્યક્ત કર્યો. શેઠશ્રી અમીચંદજી અત્યંત ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવક હતા. શેઠશ્રીએ શેઠાણીની કે ઉત્તમ ભાવનાને વધાવી લીધી અને શાસનદેવ આપણી ભાવનાને સફળ કરે એવા ઉદ્ગારો ટ્યિા . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001019
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages679
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy