SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૯૩ બંધુદત્તને શોધવાને માટે ગુપ્ત પુરૂષો મોકલ્યા. તેઓ પણ કેટલેક દિવસે પાછા આવ્યા, અને તેમણે ચંડસેનને કહ્યું કે “અમે ઘણું ભમ્યા તે પણ બંધુદત્ત અમારા જેવામાં આવ્યો નહીં.” ચંડસેને ચિંતવ્યું કે “પ્રિયાના વિરહથી પીડિત એ બંધુદત્ત ભૂગુપાત (ભૈરવજવ) કે અગ્નિપ્રવેશ વિગેરેથી જરૂર મૃત્યુ પામ્યો હશે. મારી પ્રતિજ્ઞાને પણ ચાર માસ વીતી ગયા છે, માટે હવે હમણાંજ અગ્નિમાં પ્રવેશ કરૂં, કેમકે બંધુદત્ત મળ દુર્લભ છે. અથવા તે જ્યાં સુધી પ્રિયદર્શનને કંઈ પ્રસવ થાય ત્યાંસુધી રાહ જોઉં અને તેના પ્રસુત પુત્રને કૌશાંબીમાં પહોંચાડીને પછી અગ્નિમાં પ્રવેશ કરૂ.” આ પ્રમાણે ચંડસેન ચિંતવતું હતું તેવામાં દ્વારપાળે આવીને વધામણી આપી કે પ્રિયદર્શનને પુત્ર અવતર્યો. પલ્લી પતિએ હર્ષ પામી દ્વારપાળને પારિતોષિક આપ્યું. પછી પઘાટવીની દેવી ચંડસેનાને કહ્યું કે જે આ મારી બેન પ્રિયદર્શન પુત્ર સાથે એક માસ સુધી કુશળ રહેશે, તે હું તમને દશ પુરૂષનું બલિદાન આપીશ.” પછી જ્યારે પ્રિયદર્શનાને કુમાર સાથે કુશળતાથી પચીસ દિવસ વ્યતીત થયા, ત્યારે ચંડસેને પ્રત્યેક દિશામાંથી બલિદાન યોગ્ય પુરૂષને પકડી લાવવા સેવક પુરૂષોને મોકલ્યા. અહીં બંધુદતે પોતાના માતુલ સાથે કારાગૃહમાં નારકીના આયુષ્ય જેવા છ માસ નિગમન કર્યા. તેવામાં એક દિવસે રાજસુભટેએ રાત્રીએ મેટા સપને પકડે તેમ પુષ્કળ દ્રવ્યયુક્ત એક સંન્યાસીને પકડયો, અને તેને બાંધીને મંત્રીને અર્પણ કર્યો. “સંન્યાસીની પાસે આટલું બધું દ્રવ્ય કયાંથી હોય? એવું ધારી તેણે નિશ્ચય કર્યો કે “જરૂર આ પણ ચાર છે. એટલે તેને મારી નાખવાને હુકમ કર્યો. જ્યારે તેને વધ કરવા લઈ ચાલ્યા, ત્યારે પશ્ચાત્તાપ થયે અને તેણે વિચાર્યું કે “મનિન વચન અન્યથા થતું નથી. આ પ્રમાણે ચિંતવીને તેણે આરક્ષકોને કહ્યું કે-“મારા વગર કઈ એ આ શહેરમાં ચોરી કરી નથી. મેં ચોરી કરી કરીને પર્વત, નદી, આરામ વિગેરે ભૂમિમાં ચેરીનું ધન દાટેલું છે, માટે જેનું જેનું દ્રવ્ય હોય તે તેને થાપણ મૂકી હોય તેમ પાછું મેંપી દે અને પછી મને શિક્ષા કરો. રક્ષકએ આવીને તે ખબર મંત્રીને કહ્યા, એટલે મંત્રીએ તેણે બતાવેલી સર્વ ભૂમિમાંથી દ્રવ્ય મંગાવ્યું છે તેમાં પેલા રત્નના કરંડીઓ વગર બધું દ્રવ્ય મળી આવ્યું. પછી મંત્રીએ તે સંન્યાસીને કહ્યું, હે કૃતિન ! તારાં દર્શનથી અને આકૃતિથી વિરૂદ્ધ એવું તારું આચરણ કેમ છે તે નિર્ભય થઈને કહે.” સંન્યાસી બેલ્યો કે-“જે વિષયાસક્ત હોય અને પોતાના ઘરમાં નિર્ધન હોય તેઓને આવું કામ કરવું એગ્ય લાગે છે, તે વિષે જે તમને આશ્ચર્ય લાગતું હોય તે મારે વિશેષ વૃત્તાંત સાભળો. પંડ્રવર્ધન નગરમાં સેમદેવ નામના બ્રાહ્મણને નારાયણ નામે હું પુત્ર છુંહું ‘જીવઘાતના માર્ગથી વર્ગ મળે છે એવું કોને કહેતે હતે. એક વખતે ચરબુદ્ધિએ પકડેલા અને દીન વદનવાળા કેટલાક પુરૂષે મારા જોવામાં આવ્યા. તેને જોઈને “આ મોટા ચાર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy