SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું સાંભળીને ધનદને કહ્યું કે “હે વત્સ! પ્રથમ આપણે ભિલ લોકો પાસેથી પ્રિયદર્શનાને છોડાવીએ, પછી બીજુ કામ કરશું.” આ પ્રમાણે તેઓ વાત કરે છે તેવામાં અકસ્માતુ રાજાના સુભટે હથિયાર ઉગામતા ત્યાં આવ્યા. તેઓએ જેઓ ત્યાં રહેતા હતા તે સર્વને તકર જાણીને પકડયા. ધનદત્ત અને બંધુદત્ત પેલે કરંડીઓ કઈ ગુપ્ત સ્થાને મૂકી દેતા હતા, તેવામાં જ રાજપુરૂષાએ તેમને પકડયા, અને “આ શું છે?” એમ પૂછયું, એટલે તેમણે કહ્યું કે “તમારા ભયથી અમે આ અમારૂં દ્રવ્ય ગોપવતા હતા. પછી રાજસુભટે તે કરડીઆ સહિત તેમને તથા બીજા મુસાફરોને પણ રાજભય બતાવતા સતા ન્યાયકારક રાજમંત્રીની પાસે લઈ ગયા. ન્યાયમંત્રીએ પરીક્ષા કરીને બીજા મુસાફરોને નિર્દોષ જાણે છેડી મૂકયા. પછી આ મામા ભાણેજને આદરથી પૂછયું કે “તમે કેણ છે? ક્યાંથી આવે છે? અને આ શું છે?” તેઓ બોલ્યા કે-“અમે વિશાળાનગરીથી આવીએ છીએ. આ દ્રવ્ય અમારૂં પ્રથમનું ઉપાર્જન કરેલું છે, તે લઈને હવે અમે લાટ દેશ તરફ જઈએ છીએ. મંત્રીએ કહ્યું કે જે આ દ્રવ્ય તમારું હોય તે આ કરંડીઆમાં શું શું ચીજ છે તે બધું એંધાણી સાથે જલદી કહી બતાવે. પછી બને અજ્ઞાત હોવાથી ક્ષોભ પામીને બેલ્યા કે “હે મંત્રીરાજ! આ કરંડીઓ અમે હરણ કરે છે, માટે તમે તેજ ઉઘાડીને જો.” પછી મંત્રીએ તે કરંડીઓ ઉઘાડીને જોયો, તે તેમાં રાજનામાંક્તિ આભૂષણે જોવામાં આવ્યાં. ઘણુ વખત અગાઉ ચેરાયેલાં તે આભૂષણેને સંભારીને મંત્રીએ વિચાર્યું કે “પ્રથમ ચેરાયેલું દ્રવ્ય લઈને આ બન્નેએ પૃથ્વીમાં નિધિરૂપ કરેલું હશે, માટે આ બન્નેને કબજે કરવાથી બીજા ચાર લેકો પણ પકડાઈ આવશે.” એવું ધારી મંત્રીએ બધા સાર્થને પોતાના પુરૂષની પાસે પાછો પકડી મંગાવ્યો. પછી તેણે યમદૂત જેવા શક્ષકોની પાસે તે મામા ભાણેજને ઘણું તાડન કરાવ્યું. જ્યારે ગાઢ માર પડવા લાગ્યો ત્યારે તેઓ વિધુર થઈને બેલ્યા કે “અમે આ સાથેની સાથે ગયે દિવસેજ આવ્યા છીએ. જે એમ ન હોય તે પછી તમારે વિચારીને અમોને મારી નાખવા. પછી તે સ્થાનના પુરૂષ બંધુદત્તને ઉદ્દેશીને કહ્યું “આ પુરૂષ તે આ સાર્થમાં પાંચમે દિવસે મારા જેવામાં આવ્યો હતે. પછી મંત્રીએ સાર્થપતિને પૂછ્યું કે “તમે આ પુરૂષને જાણે છો? એટલે સાર્થપતિ બોલ્યો કે “ આવા તે ઘણા માણસો સાર્થમાં આવે છે ને જાય છે. તેને કેણ ઓળખી શકે?” આ પ્રમાણે સાંભળીને મંત્રી બહુ કોપાયમાન થયો, તેથી તેણે તે મામા ભાણેજને નરકાવાસ જેવા કારાગૃહમાં કેદ કર્યા. અહીં ચંડસેન ઘણીવાર સુધી બંધુદત્તને શોધવા માટે પક્વાટવીમાં ભમ્યો, પણ તેને બંધુદ મળ્યો નહીં એટલે તે વિલખે થઈ પાછો ઘેર ગયે. પછી તેણે પ્રિયદર્શનાની પાસે એવી પ્રતિજ્ઞા કરી કે “જે હું છ માસની અંદર તારા પતિને ન શોધી લાવું તે પછી મારે અગ્નિમાં પ્રવેશ કરવો.” આવી પ્રતિજ્ઞા લઈને ચંડસેને કૌશાંબીમાં અને નાગપુરીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy