SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ quy] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ષવદ સુ સંહિત ન્ય. ત્યાં સૂર્યના અવા જેવા. લાખા ઘેાડાએથી ઐરાવત હસ્તી જેવા હજારે ભદ્રે ગજે ોથી, દેવિમાન જેવા અનેક રથાથી અને ખેચર જેવા સખ્યામ ́ધ પાયદળથી સુથેભિત એવુ' પાર્શ્વનાથનુ સૈન્ય જોઇ યવનરાજ અતિ વિસ્મય પામી ગયા. સ્થાને સ્થાને પાળા મારના સુટાએ વિસ્મય અને અવજ્ઞાથી જોયેલા તે યવનરાજ અનુક્રમે પ્રભુના પ્રાસાદના દ્વાર પાસે આન્યા. પછી છડીદારે રજા મેળવીને તેને સભાસ્થાનમાં પ્રવેશ કરાખ્યા, એટલે તેણે દૂરથી સૂર્યની જેમ પ્રભુને નમસ્કાર કર્યાં. પ્રભુએ તેના કંઠે ઉપરથી કુહાડા મૂકાવી દીધા. પછી તે યવન પ્રભુ આગળ એસી અંજલિ જોડીને આ પ્રમાણે ખેળ્યે કે—“ હે સ્વામિન્ તમારી આગળ સર્વે ઇંદ્રો પણ આજ્ઞાકારી થઈને રહે છે, તે અગ્નિ આગળ તૃણસમૂહની જેમ હું મનુષ્યકીટ તે કેણુ માત્ર છું ? તમે શિક્ષા આપવાને માટે મારી પાસે ફૂતને મેકક્લ્યા, તે માટી કૃપા કરી છે; નહીં તે તમારા ભ્રકુટીના ભંગ માત્રથી હું ભસ્મીભૂત કેમ ન થઈ જાઉં? હે સ્વામિન્! મે' તમારા અવિનય કર્યાં તે પણ મારે તે ગુણકારી થયા, જેથી ત્રણ જગતને પવિત્રકારી એવાં તમારાં દન મને થયાં, તમે ક્ષમા કરો' એમ તમારા પ્રત્યે કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે તમારા હૃદયમાં કેપજ નથી, ‘હું તમને દંડ આપું.' એમ કહેવું પણ ઉચિત નથી, કારણ કે તમેજ સ્વામી છે. ઇંદ્રોએ સેવેલા એવા તમને ‘હું તમારા સેવક છુ’ એમ કહેવું તે પણ અઘટિત છે, અને ‘મને અભય આપે!' એમ કહેવુ પશુ ચૈગ્ય નથી, કારણ કે તમે સ્વમેવ અભયદાતા છે. તથાપિ અજ્ઞાનને લીધે હું... કહુ છું કે મારાપર પ્રસન્ન થાઓ, મારી રાજ્યલક્ષ્મીને ગ્રહણ કરા, અને હું તમારે સેવક છું, માટે ભય પામેલા એવા મને અભય આપેા.” યવનનાં આવાં વચન સાંભળી પાર્શ્વનાથ મેલ્યા કેન્દ્ર હૈ ભદ્ર ! તમારૂં કલ્યાણ થાઓ, ભય પામેા નહીં, પેાતાનુ રાજ્ય સુખે પાળા, પશુ ફરીવાર હવે આવુ કરશેા નહીં.” પ્રભુનાં આવાં વચન સાંભળીને તથાસ્તુ એમ કહેતા યંત્રનરાજના પ્રભુએ સત્કાર કર્યાં. “ મહુજનેાના પ્રસાદદાનથી સ'ની સ્થિતિ ઉત્તમ થાય છે.” પછી પ્રસેનજિતુ રાજાનું રાજ્ય અને કુશસ્થળ નગર શત્રુના વેટ્ટન રહિત થયું, એટલે પુરૂષોત્તમ પાર્શ્વનાથની આજ્ઞા લઈને નગરમાં ગયા. તેણે પ્રસેનજિત્ રાજા પાસે જઈને બધે વૃત્તાંત સંભળાવ્યેા. પછી બધા નગરમાં હર્ષોંના છત્રરૂપ મહાત્સવ પ્રત્યેાં. પ્રસેનજિત્ રાજા પ્રસન્ન થઈને વિચારવા લાગ્યું કે “હું સ`થા ભાગ્યવાન છું, અને મારી પુત્રી પ્રભાવતી પશુ સવ થા ભાગ્યવતી છે. મારા મનમાં આવે મનેરથ પણ ન હતા કે જે સુરાસુરપૂજિત પાર્શ્વનાથ કુમાર મારા નગરને પવિત્ર કરશે. હવે ભેટની જેમ પ્રભાવતીને લઈને હુ ઉપકારી એવા પાર્શ્વનાથ કુમારની પાસે જાઉં. ” આ પ્રમાણે વિચાર કરી પ્રસેનજિત્ રાજા પ્રભાવતીને લઈને હષિત પરિવાર સહિત પાર્શ્વનાથની પાસે આવ્યે, અને પ્રભુને નમસ્કાર કરી અતિ એડીને એક્ષ્ચા—“ હે સ્વામિન્! તમારૂં આગમન વાદળાં વગરની વૃષ્ટિને જેમ ભાગ્યચાગે અચાનક થયું છે. તે યવનરાજ મારે શત્રુ છતાં ઉપકારી થયા કે જેના વિગ્રહમાં ત્રણ જગતના પતિ એવા તમેાએ આવીને મારા અનુગ્રહ કર્યાં. હૈ નાથ! જેમ યા લાવી અહી આવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy