SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ગયું ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ વિગેરે [જક છે કે જેથી તેને દ્રોહ કરવાને માટે તું આવાં વચન બેલે છે? તું સારી રીતે સર્વ કપાયે જાણે છે. આ પ્રમાણે કહેતા એવા તેઓ રાષવડે તેને પ્રહાર કરવાને ઈચ્છવા લાગ્યા. તે સમયે એક વૃદ્ધ મંત્રીએ આક્ષેપવાળા કઠોર અક્ષરે કહ્યું કે “આ હૃત પિતાના સ્વામીનો વૈરી નથી. પણ તમે તમારા સ્વામીના વૈરી છે કે જે સ્વેચ્છાએ વર્તવાથી સ્વામીને અનર્થ ઉત્પન્ન કરે છે. અરે મૂઢ! જગત્પતિ શ્રી પાર્શ્વનાથની માત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, તે પણ તમારી કશળતાને માટે નથી, તે પછી આ દૂતને ઘાત કરવાની તો વાત જ શી કરવી? તમારા જેવા સેવકે દુર્દાત ઘોડાની જેમ પોતાના સ્વામીને ખેંચીને તત્કાળ અનર્થરૂપ અરયમાં ફેંકી દે છે. તમે પૂર્વે બીજા રાજાઓના દૂતને ઘાર્ષિત કર્યા છે, તેમાં જે તમારી કુશળતા રહી છે તેનું કારણ એ હતું કે આપણા સ્વામી તેમનાથી સમર્થ હતા, પણ આ પાર્શ્વનાથ પ્રભુના તે ચોસઠ ઇદ્રો પણ સેવક છે, તે તેવા સમર્થની સાથે આપણા સ્વામીને તમારા જેવા દુર્વિનીત મનુષ્યકોટે વડે જે યુદ્ધ કરવું તે કેટલું બધું હાનિકારક છે?” મંત્રીનાં આવાં વચન સાંભળી સર્વે સુભટે ભય પામીને શાંત થઈ ગયા. પછી તે દૂતને હાથ પકડી મંત્રીએ સામ વચને કહ્યું-“હે વિદ્વાન દત! માત્ર શોપજીવી એવા આ સુભટોએ જે કહ્યું કે તમારે સહન કરવું, કેમકે તમે એક ક્ષમાનિધિ રાજાના સેવક છે. અમે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનને મસ્તકપર ચઢાવવાને તમારી પછવાડેજ આવીશું, માટે એમનાં વચને તમે સ્વામીને કહેશે નહીં.” આ પ્રમાણે તેને સમજાવી અને સત્કાર કરી મંત્રીએ એ તને વિદાય કર્યો. પછી તે હિતકામી મંત્રીએ પોતાના સ્વામીને આ પ્રમાણે કહ્યું કે-“હે વાવીન! તમે વિચાર્યા વિના જેનું માર્યું પરિણામ આવે તેવું કાર્ય કેમ કર્યું? પણ હજુ સુધી કાંઈ બગડી ગયું નથી, માટે સત્વર જઈને તે શ્રી પાર્શ્વનાથને આશ્રય કરો. જેનું સૂતિકા કર્મ દેવીઓએ કરેલું છે, જેનું ધાત્રીકમ પણ દેવીઓએ કરેલું છે, જેનું જન્મસ્નાત્ર અનેક દે સહિત ઇદ્રોએ કરેલું છે, અને દેવો સહિત ઇંદ્રો પોતે જેના સેવક થઈને રહે છે, તે પ્રભુની સાથે જે વિગ્રહ કરે તે હાથીની સાથે મેંઢાએ વિગ્રહ કરવા જેવો છે. પક્ષીરાજ ગરૂડ કયાં અને કાકેલ પક્ષી કયાં! મેરૂ કયાં અને સરસવને દાણે કયાં? શેષનાગ ક્યાં અને ક્ષુદ્ર સર્પ કયાં? તેમ તે પાર્શ્વનાથ કયાં અને તમે કયાં? તેથી જ્યાં સુધી લેકના જાણવામાં આવે નહીં, ત્યાં સુધીમાં આત્મહિત કરવાની ઈચ્છાએ કંઠપર કુહાડો લઈને તમે અશ્વસેનના કુમાર પાર્વનાથને શરણે જાઓ, અને વિશ્વને શાસન કરનાર તે પાર્શ્વનાથ સ્વામીના શાસનને ગ્રહણ કરે. જેઓ તેમના શાસનમાં વર્તે છે તેઓ આ લેકમાં અને પરલોકમાં નિર્ભય થાય છે.” આ પ્રમાણે પિતાનાં મંત્રીનાં વચને સાંભળીને યવનરાજ ક્ષણવાર વિચારીને બોલ્યો કે-હે મંત્રી! તમે મને બહુ સારો બોધ આપે; જેમ કેઈ અંધને કુવામાં પડતાં બચાવી લે તેમ જડ બુદ્ધિવાળા મને તમે અનર્થમાંથી બચાવી લીધું છે. આ પ્રમાણે કહી યવનરાજ કંઠમાં કુહાડે બાંધી પાર્શ્વનાથે અલંકૃત કરેલા ઉધાનમાં પરિવાર c - 60 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy