SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [૪૫૭ કનકતિલકા નામે પટ્ટરાણી હતી. તેણીની સાથે વિષયસુખ ભોગવતાં તે વિદ્ગતિ રાજાને કેટલેક કાળ વ્યતીત થયો. અન્યદા આઠમા દેવલેકમાં જે ગજેને જીવ હતું, તે ચ્યવીને તે કનકતિલકા દેવીના ઉદરમાં અવતર્યો. અવસરે સંપૂર્ણ નરલક્ષણવાળા એક પુત્રને તેણે જન્મ આપ્યું. પિતાએ તેનું કિરણગ એવું નામ પાડ્યું. ધાત્રીએ લાલનપાલન કરલે તે પુત્ર માટે થ, અને અનુક્રમે વિદ્યા કળાને નિધિ થઈ યૌવનાવસ્થા પાપે. વિદ્યગતિએ તેને પ્રાર્થનાપૂર્વક પોતાનું રાજ્ય આગ્રહથી ગ્રહણ કરાવ્યું અને પોતે શ્રુતસાગર ગુરૂની પાસે વ્રત ગ્રહણ કર્યું. સદ્બુદ્ધિમાન એવો તે કિરણગ નિર્લોભીપણે પિતાની રાજ્યસંપત્તિનું પાલન કરવા લાગે અને અનાસક્તપણે વિષયસુખનું સેવન કરવા લાગે. કેટલેક દિવસે તેની પદ્માવતી નામની રાણીના ઉદરથી તેજના એક સ્થાનરૂપ કિરણતેજ નામે તેને એક પુત્ર થયે. અનુક્રમે કવચધારી અને વિદ્યાને સાધનાર તે મોટા મનવાળો પુત્ર જાણે કિરણવેગની બીજી મૂર્તિ હેય તે દેખાવા લાગ્યો. તેવા સમયમાં સુરગુરૂ નામે મુનિમહારાજ ત્યાં સમવસર્યા. તે ખબર સાંભળી કિરણગે તેમની પાસે જઈ અતિ ભક્તિથી તેમને વંદના કરી. પછી તે કિરણગ રાજા તે મુનિના ચરણ પાસે બેઠે, એટલે તેના અનુગ્રહને માટે મુનિ ધર્મદેશના આપવા લાગ્યા-“હે રાજન ! આ સંસારરૂપ વનને વિષે ચતુર્થ પુરૂષાર્થ (મોક્ષ) સાધવાને સમર્થ એવું મનુષ્યપણું ઘણું દુર્લભ છે. પ્રાપ્ત થયા છતાં પણ અવિવેકી અને મૂઢ પ્રાણી જેમ પામર જન અલ્પ મૂલ્યથી ઉત્તમ રત્નને ગુમાવે તેમ વિષયસેવામાં તેને ગુમાવી દે છે. ચિરકાળ સેવેલા તે વિષયો જરૂર નરકમાંજ પાડે છે, માટે મોક્ષફળવાળો સર્વાભાષિત ધર્મજ નિરંતર સેવવા યોગ્ય છે.” કાનમાં અમૃત જેવી આ પ્રમાણેની દેશના સાંભળીને સંસારથી વિરક્ત થયેલા કિરણગે તત્કાળ પિતાના પુત્ર કિરણતેજને રાજ્યપર બેસાડ્યો, અને પોતે તે સુરગુરૂ મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે અંગધારી શ્રુતસ્કંધ હોય તેવા તે ગીતાર્થ થયા. અન્યદા ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈને તે મુનિ આકાશગમન શક્તિ વડે મુક્કરવાર દ્વીપમાં આવ્યા. ત્યાં શાશ્વત અ ને નમીને વૈતાઢય ગિરિની પાસે હેમગિરિની ઉપર તે પ્રતિમા ધારણ કરીને રહ્યા. તીવ્ર તપને તપતા, પરિષહાને સહન કરતા અને સમતામાં મગ્ન રહેતા એવા તે કિરણગ મુનિ ત્યાં રહ્યા હતા પોતાનો કાળ નિગમન કરવા લાગ્યા. અન્યદા પેલે કુકકુટ નાગનો જીવ પાંચમી નરકમાંથી નીકળીને તેજ હિમગિરિની ગુહામાં મોટા સર્ષ પણે ઉત્પન્ન થયો. યમરાજને ભુજાદંડ હોય તે તે સર્ષે ઘણા પ્રાણુઓનું ભક્ષણ કરતે તે વનમાં ફરવા લાગ્યું. એક વખતે ફરતાં ફરતાં તેણે ગિરિની કુંજમાં સ્તંભની જેમ સ્થિર થઈને ધ્યાન ધરતા કિરણગ મુનિને જોયા. તત્કાળ પૂર્વ જન્મના વૈરથી કેપવડે અરૂણ નેત્રવાળા થયેલા તે સર્વે તે મુનિને ચંદનના વૃક્ષની જેમ પિતાના શરીરથી વીંટી લીધા. C - 58 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy