SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ કર૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું રાખ નહીં. હું છતાં તારે પુત્ર થવા કાંઈ દુર્લભ નથી.” દીઘનાં આવાં વચન સાંભળી ૨તિનેહને પરવશ થયેલી ચુલની ડાકણની જેમ પુત્રનું વાત્સલ્ય ત્યજી દઈને તેમ કરવાને કબુલ થઈ તેણીએ વિચાર્યું કે “આ કુમારને મારી નાખવે, પણ લેકમાં નિંદા થવા દેવી નહીં, એટલે કામનું કામ થાય ને પિતૃનું તર્પણ થાય તેમ કરવું. તેને માટે શું ઉપાય લેવો! એક ઉપાય છે, તેને હજુ વિવાહ કરવાને છે, તેથી વિવાહ થયા પછી તેને નિવાસ કરવા માટે નિવાસગ્રહ કરવાના મિષથી એક લાક્ષાગૃહ (લાખનું ઘર બનાવવું. તેમાં પ્રવેશ અને નિર્ગમન ગુઢ રીતે કરાય તેવી રચના કરવી, અને વિવાહ થઈ રહ્યા પછી જ્યારે તેમાં તે વધૂ સહિત સુવા જાય ત્યારે રાત્રે અગ્નિ પ્રગટાવ.” આ પ્રમાણેના વિચારમાં બંને સંમત થયાં. પછી પુ૫ચૂલ રાજાની કન્યા સાથે સંબંધ કરીને વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરવા માંડી. તેઓને આ કૂર આશય ધનુમંત્રીના જાણવામાં આવતાં તેણે દીર્ઘરાજા પાસે આવી અંજલિ જેડીને વિજ્ઞપ્તિ કરી કે “રાજન્ ! મારે પુત્ર વરધનુ કળા જાણનાર અને નીતિકુશળ છે. તે હવેથી મારી જેમ તમારી આજ્ઞારૂપ રથની ધુરાને વહન કરનાર થાઓ. હું વૃદ્ધ વૃષભની જેમ ગમનાગમન કરવાને હવે અશક્ત થઈ ગયે , તેથી તમારી આજ્ઞાથી કઈ ઠેકાણે જઈને કાંઈ ધર્મ અનુષ્ઠાન કરીશ.” મંત્રીનાં આવાં વચનથી “આ મંત્રી કેઈ બીજે સ્થાને જઈ કપટ રચીને કાંઈ પણ અનર્થ કરશે.” એવી દીઘને શંકા થઈ. “બુદ્ધિમાનથી કેણ શંકા ન પામે!” પછી દીર્ઘરાજે માયાવડે મંત્રીને કહ્યું કે “ચંદ્ર વિના રાત્રીની જેમ તમારા વિના આ રાજ્ય અમારે શા કામનું છે? માટે તમે અહીંજ રહીને દાનશાળા વિગેરેથી ધર્મ આચરે, બીજે સ્થાને જશે નહીં, કેમકે સારાં વૃક્ષથી વનની જેમ તમારા જેવા પરૂથી જ રાજ્ય શેભે છે.” દીર્ઘ રાજાના આ પ્રમાણેના કહેવાથી બુદ્ધિવાળા ધનુમંત્રીએ ગંગાનદીના તીર ઉપર જાણે ધર્મને મહાસત્ર (દાનશાળા) હેય તે એક પવિત્ર દાનશાળાને મંડપ કરાવે, અને પિતે ત્યાં રહીને ગંગાના પ્રવાહની જેમ હમેશાં વટેમાર્ગુઓને અન્નપાન દેવાનો અવિચ્છિન્ન પ્રવાહ પ્રવર્તાવ્યું. પછી દાન, માન અને ઉપકારવડે પ્રતીતિ યોગ્ય થયેલા પુરૂષોની પાસે બે કોષ દૂરથી સુરંગ કરાવીને લાક્ષાગૃહ સુધી મેળવી દીધી. પછી નેહરૂપ આદ્ર વૃક્ષમાં જળ સમાન ગુપ્ત લેખ લખીને તેણે આ વૃત્તાંત પુષસૂલ રાજાને જણાવ્યું. તે ખબર જાણ બુદ્ધિમાન પુપલે પિતાની દુહિતાને બદલે-હસીને સ્થાને બગલીની જેમ એક દાસીને મોકલી. પિત્તળની ઉપર ચઢાવેલા સુવર્ણરસ જેવી તે દાસીને લેકે પુષ્પચૂલની પુત્રી જાણવા લાગ્યા. અનુક્રમે આભૂષણેનાં મણિથી પ્રકાશતી તે દાસી નગરીમાં પેઠી. પછી ગીતેના ઇવનિ અને વાજિંત્રોના નાદથી આકાશને પૂરી દેતી અને હર્ષ પામતી ચુલનદેવીએ તેને બ્રહ્મદત્ત સાથે પરણાવી. સાયંકાળે સર્વ લેકેને વિદાય કરી ચુલનીએ તે વધૂવરને પેલા લાક્ષાગૃહમાં સુવા મેકલ્યા. બ્રહાદત્ત પણ બીજા પરિવારને વિદાય કરી વધુ અને પોતાની છાયા જેવા મંત્રિપુત્ર વરધનુ સહિત ત્યાં શયન કરવા ગયે. મંત્રીકુમારની સાથે વાર્તાલાપ કરતા બ્રહાદત્તને જાગ્રત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy