SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૯ મ ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત [૩૮૭ અંતમુહૂર્ત પછી જેમાં અનેક અતિ સૂક્ષમ જંતુઓ ઉત્પન્ન થાય છે એવું માખણ વિવેકી પુરુષોએ કદિ પણ ખાવું નહીં. એક જીવની હિંસામાં કેટલું બધું પાપ છે, તે પછી અનેક જંતુમય માખણને કેણ સેવે? જે અનેક જંતુસમૂહની હિંસાથી ઉત્પન્ન થયેલું છે અને જે લાળની જેમ જુગુપ્સા કરવા યોગ્ય છે એવા મધને કોણ ચાખે? એક એક પુ૫માંથી રસ લઈને મક્ષિકાઓએ વમન કરેલા મધને ધાર્મિક પુરૂષે કદિ પણ ચાખતા નથી. ઉંબરડે, વડ, પીપર, કાકઉદંબર અને પીપળાનાં ફળ ઘણાં જંતુઓથી આકુળ વ્યાકુળ હોય છે, તેથી તે પાંચે વૃક્ષનાં ફળ કદિ પણ ખાવાં નહીં. બીજું ભણ્ય મળ્યું ન હોય અને સુધાથી શરીર ક્ષામ (દુર્બળ) થઈ ગયું હોય તે પણ પુણ્યાત્મા પ્રાણુ ઉંબરડાદિક વૃક્ષનાં ફળ ખાતા નથી. | સર્વ જાતિનાં આદ્ર કંદ, સર્વ જાતિનાં કુંપળી, સર્વ જાતિનાં શેર, લવણ વૃક્ષની ત્વચા, કુમારી (કુંવાર), ગિરિકર્ણિકા, શતાવરી, વિરૂઢ, ગડુચી, કમળ આંબલી, પથંક, અમૃતવેલ, સૂકર જાતિના વાલ અને તે સિવાય બીજા સૂત્રમાં કહેલા અનંતકાય પદાર્થો કે જે મિથ્યાદષ્ટિએથી અજ્ઞાત છે, તે દયાળુ પુરૂષાએ પ્રયત્નથી વવા. શાસ્ત્રમાં નિષેધ કરેલાં ફળના ભક્ષણમાં અથવા વિષફળના આ ભક્ષણમાં આ જીવની પ્રવૃત્તિ ન થાઓ એવા હેતુથી ડાહ્યા પુરુષે પોતે અથવા બીજાએ જાણેલું જ ફળ ખાવું જોઈએ, અજાયું ફળ તજી દેવું જોઈએ. રાત્રી સમયે નિરંકુશપણે ફરતા પ્રેત, પિશાચ વિગેરે ક્ષુદ્ર દેથી અન્ન ઉચ્છિષ્ટ કરાય છે. તેથી રાત્રિસમયે કદિ પણ ભેજન કરવું નહીં. વળી રાત્રીસમયે ઘોર અંધકારે કરીને મનુષ્યની દષ્ટિ પણ રૂંધાયેલી હોવાથી ભોજનમાં પડતાં જતુઓ તેનાથી જોઈ શકાતાં નથી, તેથી તેવા રાત્રીને સમયે કોણ ભજન કરે? કદાચ ભેજનમાં કીડી આવી ગઈ હોય તે તે બુદ્ધિને નાશ કરે છે, જે ખાવામાં આવી હોય તે તે જળદરને વ્યાધિ કરે છે, માખી આવી હોય તે તે વમન કરાવે છે, ઢેઢઘરોલી આવી હોય તે તે કુષ્ઠ રોગને કરે છે, કાંટે અથવા કાષ્ઠને કકડે ખાવામાં આવ્યું હોય તે તે ગળાની વ્યથાને કરે છે, ભેજનની અંદર વીંછી પડી ગયે હોય તે તે તાળવું વિધે છે, તથા ભેજનમાં આવેલ વાળ ગળામાં લાગી ગયો હોય તો તે સ્વરભંગને માટે થાય છે, આ વિગેરે અનેક દેશે સર્વ મનુષ્ય રાત્રિભેજનને વિષે જોયા છે. રાત્રીએ સૂક્ષ્મ જંતુઓ દેખવામાં આવતાં નથી, તેથી પ્રાસુક પદાર્થ પણ રાત્રે ખાવા નહીં. કારણ કે તે વખતે ભેજનમાં અવશ્ય અનેક જંતુઓની ઉત્પત્તિ સંભવે છે. જેમાં જીવને સમૂહ ઉત્પન્ન થાય છે એવા ભેજનને રાત્રીએ જમનારા મૂઢ પુરૂષ રાક્ષસોથી પણ અધિક દુષ્ટ કેમ ન કહેવાય? જે મનુષ્ય દિવસે અને રાત્રીએ પણ ખાધાજ કરે છે, તે શંગ અને પુચ્છ વિનાનો સાક્ષાત્ પશુ જ છે. રાત્રીજનના દેષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની બબે ઘડીને ત્યાગ કરીને ભજન કરે છે, તે પુણ્યનું ભાજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy