SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૮] દીક્ષા લેવાની ભરતને થયેલ પ્રબળ ઈચ્છા [ ૧૪૩ લમણે હર્ષ સહિત પિતાની અધ્યાપુરીમાં પ્રવેશ કર્યો. તે સમયે મેઘને મયૂર જુએ તેમ ઉત્કંઠિત અને ઉન્મુખ થયેલા પુરજને અનિમિષ નેત્રે રામલક્ષ્મણને જોવા લાગ્યા અને નિર્ભર રસ્તુતિ કરવા લાગ્યા. સ્થાને સ્થાને પુરીજને સૂર્યની જેમ જેમને અર્થ આપતા હતા એવા અને પ્રસન્ન મુખવાળા રામલક્ષ્મણ અનુક્રમે પિતાના મહેલ પાસે આવ્યા. સુહુદુ જનના હૃદયને આનંદ આપનારા રામ લક્ષ્મણ સીતાની સાથે પુષ્પક વિમાનમાંથી ઉતરી માતૃગૃહમાં ગયા. બંને ભાઈઓએ દેવી અપરાજિતાને અને બીજી માતાઓને નમસ્કાર કર્યા. માતાઓએ આશીષ આપી. પછી સીતા, વિશલ્યા વિગેરેએ અપરાજિતાને અને બીજી સાસુઓને તેમના ચરણકમળમાં લલાટ મૂકી પ્રણામ કર્યા. એટલે “તમે પણ અમારી આશીષથી અમારી માફક વીરપુત્રોને જન્મ આપનારી થાઓ” એવી તેમણે વહુઓને આશીષ આપી. અપરાજિતા દેવી વારંવાર હાથવડે લક્ષ્મણને સ્પર્શ કરતાં અને મસ્તકમાં ચુંબન કરતાં બોલ્યા- “હે વત્સ! સારે ભાગ્યે મને તમારા દર્શન થયાં છે, હું તે તમને હમણાં જ ફરીવાર જગ્યા છે એમ માનું છું. કારણ કે તમે વિદેશગમન કરી વિજય મેળવીને આવ્યા છે. આ રામ અને સીતાએ તમારી સેવાથી જ વનવાસના તે તે પ્રકારનાં કઠે ઉલંઘન કર્યા છે.” લક્ષ્મણ બાલ્યા–“હે માતા ! વનવાસમાં પિતાની જેમ આર્ય બંધુ રમે અને તમારી જેમ સીતાએ મારૂં લાલન કરેલું છે, તેથી હું તે વનમાં પણ સુખમાં રહેલું હતું. મારા સ્વેચ્છાચારી દુલલિતથીજ આયંબંધુ રામને દુશ્મની સાથે વૈર થયું, અને તેથી જ સીતાનું હરણ થયું. હે દેવી! તે વિષે વધારે શું કહેવું? પરંતુ તે માતા! તમારી આશીષથીજ શરૂપ સાગરનું ઉલ્લંઘન કરીને પરિવાર સહિત રામભદ્ર કુશળતાએ અહીં આવેલા છે.” આ પ્રમાણે વાર્તાલાપ થયા પછી રામની આગળ એક પેદલરૂપે રહેવા ઈચ્છતા ભરતે હર્ષથી અધ્યા નગરીમાં મોટો ઉત્સવ કરાવ્યું. અન્યદા ભરતે રામભદ્રને પ્રણામ કરીને કહ્યું કે “હે આર્ય! તમારી આજ્ઞાથી આટલે કાળ મેં રાજ્ય ધારણ કર્યું, આ રાજ્યને પાળવામાં તમારી આજ્ઞારૂપી અર્ગલા જે આડી આવી ન હોત તો હું પિતાની સાથે તે વખતેજ દીક્ષા ગ્રહણ કરતક માટે હવે મને વ્રત લેવાની આજ્ઞા આપો અને આ રાજ્ય તમે ગ્રહણ કરે. સંસારથી ઉદ્વેગ પામેલે હું હવે તમારા આવ્યા પછી આ રાજ્યમાં રહેવાને ઉત્સાહી નથી.” રામ અશ્રયુક્ત નેત્ર બેલ્યા–“હે વત્સ! આવું શું બોલે છે ? જેમ કરતા હતા તેમ રાજ્ય કરે, અમે તે તમારા તેડાવવાથી જ આવ્યા છીએ, માટે રાજ્ય સહિત અમારો ત્યાગ કરીને અમને વિરહવ્યથા શા માટે આપે છે? તમે રાજ્યમાં રહે અને પૂર્વની જેમ મારી આજ્ઞા માનો.” આ પ્રમાણે આગ્રહ કરતા રામને જાણી ભરત પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા જવા લાગ્યા, એટલે લક્ષ્મણે ઊઠી હાથવડે પકડી રાખ્યા. તેવી રીતે વ્રત લેવાનો નિશ્ચય કરીને આવેલા ભરતને જાણીને સીતા અને વિશલ્યા વિગેરે સસંભ્રમ થઈને ત્યાં આવ્યા, અને ભરતને વ્રત લેવાને આગ્રહ ભૂલાવવા માટે તેમણે જળક્રીડાને વિનોદ કરવાને ભરતને પ્રાર્થના કરી. તેમના અતિ આગ્રહથી ભરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy