SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૭] રામની સામે યુદ્ધ કરવા રાવણનું લંકાનગરીની બહાર નીકળવું [૧૨૩ “હે દેવ! જે કે સર્વે રાક્ષસો જન્મથીજ માયાવી અને પ્રકૃતિથીજ સુદ્ર હોય છે, તથાપિ આ વિભીષણ અહીં આવે છે તો ભલે આવે, અમે તેને ગુપ્ત રીતે શુભાશુભ ભાવ જાણી લઈશું અને પછી તેના ભાવ પ્રમાણે ચગ્ય ગોઠવણ કરીશું.” એ વખતે વિભીષણને પૂર્ણ રીતે જાણનાર વિશાળ નામને એક ખેચર બેલી ઉઠયો-“હે પ્રભુ ! રાક્ષમાં આ વિભીષણ એકજ મહાત્મા અને ધાર્મિક છે. સીતાને છોડી દેવા વિષે રાવણને કહેતાં અતિ ક્રોધી એવા એના બંધુ રાવણે એને કાઢી મૂક્યો છે, તેથી તે તમારે શરણે આવેલ છે. એમાં જરા પણ ફેરફાર નથી.” તે સાંભળી રામે દ્વારપાળ દ્વારા વિભીષણને અંદર પ્રવેશ કરાવ્યું. રામના ચરણમાં મસ્તક મૂકતાં તેને રામ સંભ્રમથી ભેટી પડયા. પછી વિભીષણ બે-“હે પ્રભુ! મારા અન્યાયી અગ્રબંધુને છોડીને હું તમારી પાસે આવ્યું છું; માટે મને પણ સુગ્રીવની જેવોજ ભક્ત ગણુને આજ્ઞા આપો.” તે સમયે રામે તેને લંકાનું રાજ્ય આપવાનું કબૂલ કર્યું. મહાત્માઓને કરેલા પ્રણિપાત કયારે પણ વ્યર્થ થતું નથી. હંસદ્વીપમાં આઠ દિવસ રહીને પછી રામચંદ્ર સર્વ સેના સહિત કલ્પાંત કાળની જેમ લંકા તરફ ચાલ્યા. લંકાની બહાર મેદાનમાં વિશાળ સેનાવડે વિશ જન ભૂમિને રૂંધીને બળના પર્વતરૂપ રામ રણને માટે સજજ થઈ રહ્યા. જાણે બ્રહ્માંડના સફેટથી ઉત્પન્ન થયે હોય તેવો રામની સેનાને કેલાહલ સમુદ્રના દવનિની જેમ બધી લંકાપુરીને બધિર કરવા લાગે. જેમનું અનન્ય સાધારણ બળ છે એવા પ્રસ્ત વિગેરે રાવણના સેનાપતિઓ તત્કાળ ઊંચા હથિયાર કરી બખ્તર પહેરીને તૈયાર થઈ ગયા. કોઈ હાથી પર બેસીને, કેઈ અશ્વ પર બેસીને, કઈ સિંહપર બેસીને, કઈ ખરપર બેસીને, કઈ રથમાં બેસીને, કઈ કુબેરની જેમ મનુષ્યપર ચડીને કઈ અગ્નિની જેમ મેષપર સ્વારી કરીને, કેઈ યમરાજની જેમ મહિષને વાહન કરીને, કઈ રેવંતકુમારની જેમ અશ્વપર સ્વાર થઈને અને કેઈ દેવની જેમ વિમાનમાં બેસીને રણુકર્મમાં ચતુર એવા અસંખ્ય વીર એકસાથે એકઠા થઈને રાવણની ચારે તરફ ફરી વળ્યા. પછી રત્નથવાનો જયેષ્ઠ પુત્ર રાવણ રોષથી રતાં નેત્ર કરી તૈયાર થઈ વિવિધ આયુધથી પૂર્ણ એવા રથમાં બેઠે. જાણે બીજે યમ હોય તે વીર ભાનુકણું હાથમાં ત્રિશૂળ લઈ રાવણની પાસે આવીને પાર્શ્વરક્ષક થઈ ઊભો રહ્યો. ઈંદ્રજિત અને મેઘવાહન કુમાર જાણે રાવણના બીજા બે ભુજ હોય તેમ રાવણની પાસે આવીને બન્ને બાજુએ ઊભા રહ્યા. બીજા પણ મહા પરાક્રમી પુત્રે, કેટીગમે સામંતો અને શુક, સારણ, મારીચ, મય અને સુંદર વિગેરે પણ ત્યાં આવીને હાજર થયા. એ પ્રમાણે રણકર્મમાં કુશળ એવી અસંખ્ય સહસ્ત્ર અક્ષૌહિણ સેનાઓથી દિશાઓને આચ્છાદન કરતે સતે રાવણ લંકાનગરીની બહાર નીકળ્યો. રાવણના સૈન્યમાં કઈ સિંહની આવજાવાળા, કેઈ અષ્ટાપદની દવાવાળા, કોઈ ચમૂર ૧ આવાં ચિન્હો છે જેમાં એવી તેમના રથ ઉપર ધ્વજા સમજવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy