SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨] મહાપદ્મ ઉપર આસક્ત થયેલી જયચંદ્રા મેં પ્રતિજ્ઞાથી કહ્યું છે કે “હે સુભ્ર ! સ્વસ્થ થા. હું ખરેખર ત્યાં જઈશ અને તારા હૃદયપદુમને વિકજવર કરવામાં સૂર્યરૂપ એ મહાપદુમને જરૂર લાવીશ, નહીં તે અગ્નિમાં પ્રવેશ કરીશ; માટે તું તારા મનની પીડાને શાંત કર.” આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક તેને આશ્વાસન આપી તેના શ્વાસમાં ચંદ્ર સમાન એવા તમારી પાસે હું આવી છું, અને તમને ત્યાં લઈ જાઉં છું; માટે કેપ કરો નહીં, તમે ઉપકારી છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી મહા૫મે આજ્ઞા આપી, એટલે તે વેગવતી વિદ્યાધરી આભિગિક દેવતાના રચેલાં વિમાન જેવાં વેગવડે ચાલીને મહાપદ્મ કુમારને સુરદયપુરીમાં લાવી. પ્રાતઃકાળે સુરોદયપુરના પતિ ઇન્દ્રધનુ રાજાએ જેની પૂજા કરી છે એ પદુમકુમાર રહિણને ચંદ્રની જેમ જયચંદ્રાને પરચો. જયચંદ્રના મામાના દીકરા ગંગાધર અને મહીધર નામે વિદ્યામદ તથા ભુજબળથી દુર્મદ એવા બે વિદ્યાધર હતા, તેઓ આ જયચંદ્રાના વિવાહના ખબર સાંભળી તત્કાળ ગુસ્સે થયા. “એક દ્રવ્યને બે જણને અભિલાષ તેજ મોટા વૈરનું કારણ છે.” તેઓ બંને સર્વ બળથી જયચંદ્રાના પતિ પદુમકુમારની સાથે યુદ્ધ કરવા સુરાદયપુરમાં આવ્યા, નિષ્કપટ યુદ્ધ કરવામાં કૌતુકી એવા મહાપદ્મ કુમાર અને દુર્વાર ભુજપરાક્રમવાળે વિદ્યાધરને પરિવાર નગરની બહાર નીકળે. કેઈને ત્રાસ પમાડતે, કેઈને ઘાયલ કરો અને કોઈને મારી નાખતા મહાપદ્મ ગજેન્દ્રોની સાથે સિંહની જેમ શત્રના સુભટની સાથે લીલાથી યુદ્ધ કરવા લાગ્યા. વિદ્યાધરપતિ ગંગાધર અને મહીધર પોતાના સૈન્યને ભંગ થયેલ જોઈ જીવ લઈને નાસી ગયા. પછી ચકરત્નાદિ રત્ન ઉત્પન્ન થતાં એ બળવાન મહાપદ્મ ટૂખંડ ભરતક્ષેત્ર ઉપર વિજય મેળવ્યું. શુકલ પક્ષની ચતુર્દશીએ એક કળાએ અધુરી ચંદ્રની પૂર્ણતાની જેમ એક સ્ત્રીરત્ન વિના મહાપદ્યને ચક્રવતી પણાની સર્વ સમૃદ્ધિ પૂર્ણ થઈ. પછી પૂર્વે જેયેલ રત્ન મદનાવલીનું સ્મરણ કરતે મહાપદ્મ ક્રિીડા કરવાને મિષે તે તાપસીના આશ્રમમાં ગયે. તાપસેએ તેનું આતિથ્ય કર્યું. ત્યાં ફરતા છતા જન્મેજય રાજાની રાણીએ તેમને દીદ, એટલે પોતાની પુત્રી મદનાવી તેમને પરણાવી. એ પ્રમાણે સક્રવત્તીની સંપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત કરીને પવરાજ હસ્તીનાપુર આવ્યું, અને પ્રથમ વૃત્તાંત સાંભળવાથી ખુશી થયેલા માતાપિતાને અધિક હર્ષ ધરી પ્રથમની જેમજ પ્રણામ કર્યો. કર્ણમાં રસાયણ જેવું પિતાના પુત્રનું ચરિત્ર સાંભળી સિંચન કરેલા વૃક્ષની જેમ માતાપિતા વિકસ્વર થઈ ગયા. અન્યદા મુનિસુવ્રત સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય સુત નામના આચાર્ય વિહાર કરતાં - કરતાં ત્યાં પધાર્યા. રાજા પ ત્તરે પરિવાર સાથે આવીને તેમને નમસ્કાર કર્યો, અને સંસાર વૈરાગ્યની માતારૂપ તેમની દેશના સાંભળી. દેશનાને અંતે “સ્વામી ! જ્યાં સુધી પુત્રને રાજ્યપર બેસાડીને હું દીક્ષા લેવાને આવું ત્યાં સુધી આપ ભગવંતે અહીં જ બીરાજવું. એવી રીતે રાજાએ આચાર્યને વિનંતિ કરી. • પ્રસાદ કરશે નહીં” એવું સૂરિએ કહ્યું, રાજા પદ્દમોત્તર તેમને વંદના કરી પોતાના નગરમાં આવ્યું. પછી અમાત્ય સામંત વિગેરે સર્વ પ્રકૃતિવર્ગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy