SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨] મલીનાથ પ્રભુની છે તથા કુંભરાજાએ કરેલ સ્તુતિ [ પર્વ ૬ ઠંડું - આવાં મલલીકુમારીનાં વચન સાંભળીને તેને વિચાર કરતાં તે એ રાજાઓને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. “અહંતના અનુગ્રહથી શું ન થાય ?' પછી મલ્લીપ્રભુએ જાળીવાળા છએ કમાડ ઉઘાડી નાખ્યાં. એટલે તે છએ રાજાએ પ્રતિબંધ પામી આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે ભદ્ર! અમને યાદ આવ્યું કે પૂર્વ ભવે આપણે સાતે મિત્રો સંકેત કરી એકઠા રહીને તીવ્ર તપ કરતા હતા. હે પ્રભુ! તમે અમને સારી રીતે બોધ આપીને નરકમાં પડતાં બચાવ્યા છે, તે હવે અમારે શું કરવા છે તે બતાવે; કેમકે તમે અમારા ગુરૂ છે.” સમય આવે ત્યારે દીક્ષા ગ્રહણ કરો' એમ કહી મલીકુમારીએ તેમને વિદાય કર્યા એટલે તે રાજાઓ પોતપોતાના નગરમાં ગયા. તે અવસરે કાંતિક દેવતાઓએ આવી મલ્લીનાથને કહ્યું કે “તીર્થ પ્રવર્તાવો.” તે સાંભળી પ્રભુએ જાંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યથી વાર્ષિક દાન આપવા માંડ્યું. જન્મથી સે વર્ષ પૂર્ણ થયા ત્યારે પચીશ ધનુષ ઊંચી જેની કાયા છે એવા મલીકુમારીને કુંભ રાજા અને ઇંદ્રાદિક દેવતાઓએ નિષ્ક્રમસવ કર્યો. પછી જયંતી નામે શિબિકારત્નપર આરૂઢ થઈ મલ્લીપ્રભુ સહસ્ત્રાગ્ર વન નામે ઉત્તમ ઉદ્યાનમાં આવ્યા. તે ઉદ્યાન કેઈ ઠેકાણે કૃષ્ણ ઈક્ષુ (શેલડી) ના વાહથી જાણે કૃષ્ણ પક્ષવાળું હોય અને કઈ ઠેકાણે શ્વેત ઈશુના વાઢથી શુકલ પક્ષવાળું હોય તેવું દેખાતું હતું. નારંગીના પકવ ફળવાડે જાણે શણમણિઓથી જડેલું હોય, અને મરૂબકના ફળથી જાણે નીલમણિએ બાંધેલું હોય તેવું જણાતું હતું. તેમાં શીતથી પીડિત એવા વટેમાર્ગુઓ નારીના સ્તનની જેમ ઉષ્ણ એવું કુવાનું જળ પીતા હતા અને વડના વૃક્ષની છાયાને સેવતા હતા. જાણે હેમંતલક્ષમીના હાસ્ય હોય તેવા વિકસ્વર ડેલરના પુષ્પથી તે શોભી રહ્યું હતું. તેવા ઉદ્યાનમાં જગદગુરૂએ પ્રવેશ કર્યો. પછી બાહ્ય પરિવારને ચગ્ય એવા એક હજાર પુરૂષ અને અત્યંતર પરિવારને યોગ્ય એવી ત્રણ સ્ત્રીઓની સાથે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર આવતાં પ્રાતઃકાળે મલ્લીનાથ પ્રભુએ અષ્ટમ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. તે વખતે મલ્લી પ્રભુને મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયું; અને તે જ દિવસે અશોક વૃક્ષની નીચે કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થયું. ઈંદ્રાદિક દેવેએ ત્રણસે ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષવડે શેજિત એવું સમેસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી “તીય નમઃ” એમ કહી મલ્લી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. તત્કાળ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં તેમનાં રૂપ વિકુવ્ય. શ્રીમાન ચતુર્વિધ સંઘ એગ્ય સ્થાને બેઠે. કુંભરાજા અને પેલા છે રાજાઓ પણ ત્યાં આવીને ઇંદ્રની પછવાડે બેઠા. પછી શ્રદ્ધાવડે નિર્મળ અંતરાત્માવાળા દેવરાજ (ઈંદ્ર) અને કુંભરાજ પ્રભુને નમસ્કાર કરી હર્ષવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા “હે અહંન! જેઓ સારે ભાગ્યે તમારા ચરણમાં નમે છે, તેઓના લલાટ ઉપર તમારા ચરણનખનાં જે કિરણે પડે છે, તે આ ભયંકર ભવથી ભય પામેલા પ્રાણીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy