SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ ] ભૂતનાં નાચ [૨૬૫ નામે દ્વીપ છે. તેમાં અહંતના નાત્રની શિલાઓથી અંકિત આ બે મુદ્ર મેરૂગિરિ છે. શાશ્વત અહંત વડે પવિત્ર આ ઈશ્વાકાર ૨ નામે બે પર્વત છે. ધાતકીખંડના જેવો આ અર્ધ પુષ્કર દ્વીપ છે, ત્યાર પછી માનુષેત્તર પર્વત છે. તેનાથી આગળ મનુષ્યભૂમિ નથી. આ પ્રમાણે આખ્યાનપૂર્વક પૃથ્વીને બતાવીને તેઓ મેઘરથને પાછા પુંડરીકિણી નગરીમાં લાવ્યા. પછી તેમને રાજમંદિરમાં મૂકી, પ્રણામપૂર્વક રત્નવૃષ્ટિ કરીને તેઓ પિતાને સ્થાનકે ગયા. અન્યદા લેકાંતિક દેવતાઓએ આવી ઘનરથ રાજાને કહ્યું કે “હે સ્વામી! તીર્થ પ્રવર્તાવે.” તે સાંભળતાં જ સ્વયંબુદ્ધ છતાં તેઓ બોધ પામ્યા, એટલે રાજ્ય ઉપર મેઘરથને અને યૌવરાજ્ય ઉપર દ્રઢરથને બેસાડી વાર્ષિક દાન આપી તરતજ તેમણે દીક્ષા ગ્રહણ કરી. થોડા કાળમાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભાવી પ્રાણીઓને બંધ કરતા ઘનરથ તીર્થકર અનુક્રમે પૃથ્વી પર વિહાર કરી આઠ કર્મોને ક્ષય કરીને મોક્ષે જશે. નિરંતર અનેક રાજાઓના મુગટવો જેના ચરણકમળની પીઠ ઘસાયા કરે છે એ મેઘરથ રાજા દ્રઢરથ સાથે પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યા. એક વખતે પરજનના આગ્રહથી રાજા મેઘરથ કીડા કરવાની ઈચ્છાએ દેવરમણ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં એક અશોકવૃક્ષની નીચે પોતાની પ્રિયામિત્રા પ્રિયા સહિત બેસીને તેમણે મધુર સંગીત કરાવવાનો આરંભ કર્યો. તે સમયે તેમની આગળ હજારો ભૂત અપૂર્વ સંગીત કરવાની ઈચ્છાથી પ્રગટ થયા. કેઈ વિશાળ ઉદરવડે લંદર (ગણેશ) જેવો લાગતા હતા, કઈ કૃશ ઉદરથી જાણે પાતાળને ધારણ કરતા હોય તેવા દેખાતા હતા, કેઈ લાંબા અને કઠેર ચરણથી તાડપર ચઢયા હોય તેવા લાગતા હતા, અને કઈ લાંબી ભુજાઓથી અજગર સહિત વૃક્ષ જેવા જણાતા હતા; કેઈએ સપના આભૂષણ પહેર્યા હતા, કેઈએ નોળનાં ઘરેણાં ધર્યા હતાં. કેઈએ ચિત્તાનાં ચર્મ ઓઢડ્યાં હતાં, કેઈ વ્યાઘચર્મનાં વસ્ત્ર ધર્યા હતાં, કેઈએ અંગરાગ લાગવ્યો હતો, કોઈએ રૂધિરના વિલેપન કર્યા હતાં, કેઈએ ઘૂવડનાં કર્ણાભરણ પહેર્યા હતાં, અને કેઈએ ગીધના મુગટ ધર્યા હતા, કેઈ એ ઉંદરની માળા, કેઈએ કાકીડાની માળા અને કેઈએ મુંડમાળા પહેરી હતી. કેઈએ હાથમાં પરીઓ રાખી હતી, કેઈ અટ્ટહાસ્ય કરતા હતા, કેઈ કેળાહળ કરતા હતા, કોઈ ઘેડાની જેવા અવાજ કરતા હતા, કેઈ હાથીના જેવી ગર્જના કરતા હતા, કેઈ ભુજાના આટ કરતા હતા, કઈ તાલ આપતા હતા, કેઈ મુખવાધ વગાડતા હતા, અને કોઈ કક્ષા વગાડતા હતા. આ પ્રમાણે સર્વ ભૂત એકઠાં મળી જાણે ૧. જબૂઢીપમાં રહેલા લાખ જન ઉંચા મોટા મેરની અપેક્ષાએ આ ૮૪૦૦૦ એજન ઉંચા હેવાથી નાના મેરૂ કહેવાય છે. ૨. અધ અધર ધાતકીખંડ રૂ૫ ધનુષ્યની મધ્યમાં તેટલાજ લાંબા બાણને આકારે હોવાથી ઈશ્વાકાર કહેવાય છે. છે. આની પછીની હકીકત તેમના મોક્ષે પધાર્યા આગાઉની છે. B - 34 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy