SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨] બે વિદ્યાધરને પૂર્વભવ [ પ પ મું અનુક્રમે કલાકલાપ ભણીને યૌવનવયને પ્રાપ્ત થયા. તે અરસામાં તેજ ઐરાવત ક્ષેત્રમાં સ્વર્ણદ્વમ નામના નગરને વિષે શંખના જેવા ઉજવળ ગુણવાળે શંખ નામે રાજા હતે. તેની પૃથ્વી નામે રાણીને ઉત્સંગમાં રહેલી પુષ્પમાળાના સ્વપ્ન સૂચવેલી પૃથ્વીસેના નામે પુત્રી થઈ રૂપનાં ઉત્કર્ષને અને વિશેષ ચાતુર્યને પિષણ કરનાર યૌવન અને કલાકલાપ તેણે સંપાદન કર્યા. “આ પુત્રીને યોગ્ય વર આજ છે એવું ચિંતવી શંખરાજાએ તે કન્યા અભયશેષને આપી. રાજા અભયઘોષ તે નવેઢા પૃથ્વીસેનાની સાથે વિષ્ણુની જેમ ક્રીડા કરવા લાગ્યા. એક દિવસે વસંતઋતુમાં વસંતના પુષ્પને ધારણ કરનારી કેઈ એક દાસી અભયશેષની પાસે આવી. તેને જોઈ દેવી સવર્ણતિલકાએ રાજાને કહ્યું-“સ્વામી! વસંતઋતુએ આપણું જાતુક નામના ઉધાનને મંડિત કર્યું છે, માટે હે પ્રાણવલલભ! એ નવીન વસંતલક્ષમીને અનુભવ કરવાને આપણે ઉચિત પરિવાર લઈ તે ઉદ્યાનમાં જઈએ.” તે સમયે હાથમાં કેટી મૂલ્યવાળા યુક્તિના પુપ લઈ પૃથ્વસેના રાજા પાસે આવી. તે જોઈ રાજાએ પ્રફુલ્લિત નેત્રે તેની માગણી કરી, પછી ઉચિત પરિવાર લઈ ઉદ્યાનમાં ગયે, અને ત્યાં અનેક પ્રકારની ક્રીડા કરી. પછી દેવી પૃથ્વીસેના રાજાની આજ્ઞા લઈ આમતેમ ફરતી હતી, તેવામાં એક તરફ દંતમંથન નામે એક વિશિષ્ટ જ્ઞાની મુનિ તેના જેવામાં આવ્યા. ભક્તિએ ભરપૂર અને હર્ષિત થઈને તેણે મુનિને વંદના કરી. ત્યાં સંસારપર નિર્વેદ ઉત્પન્ન કરે તેવી મુનિ પાસે દેશના સાંભળી. તે સાંભળતાં જ તેણે તત્કાળ ભવથી ભય પામી રાજાની આજ્ઞા લઈ તે દંતમંગન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. દેવી પૃથ્વીસેનાનું અદ્ભુત ચારિત્ર વખાણુતે રાજા અભયશેષ પોતાને ઘેર ગયો. એક વખતે તે રાજા અભયઘોષ પિતાના મંદિરની અગાશી ઉપર વિશ્રામ લેતે સૂર્યની જેમ રત્નસિંહાસન પર બેઠે હતું, તેવામાં તીર્થકરના લિંગને ધરનારા અને છસ્થપણે વિચરતા શ્રી અનંત નામે અહંત પોતાના દ્વારદેશમાં પ્રવેશ કરતાં તેના જોવામાં આવ્યા. તત્કાળ રાજા સંભ્રમથી ઉભે થયે અને ઉચિત આહાર લઈ ભગવંતની પાસે આવી નમસ્કાર કર્યો. ભગવતે તેની આપેલી ભિક્ષાથી ત્યાંજ પારણું કર્યું. દેવતાઓએ અભયઘોષના મંદિરમાં સુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પારણું કર્યા પછી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. છદ્યસ્થ પ્રભુ બીજા મુનિની જેમ કે ઠેકાણે સ્થિર રહેતા નથી. ત્યાર પછી જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા તે અનંત પ્રભુ વિહાર કરતાં કરતાં વજપુર નગરે આવીને સમવસર્યા. તે ખબર જાણી રાજા અભયઘોષે ત્યાં આવી ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા દઈને વંદના કરી અને સંસારને છેદનારી ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે રાજાએ પ્રણામ કરી કહ્યું કે “ભવી પ્રાણીઓના પુણ્યથીજ કલ્પવૃક્ષની જેમ તમે અહીં પધાર્યા છે. હે સ્વામી ! આ તમારી પ્રવૃત્તિ પરના ઉપકારને માટેજ છે, માટે હું તમને વિજ્ઞપ્તિ કરું છું કે હે વિશ્વ પૂજ્ય કરૂણાનિધિ! જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy