SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ જે] નારદમુનિને દમિતારિ રાજાની સભામાં પ્રવેશ જોવામાં બંને ભાઈઓનાં મન વ્યાક્ષિપ્ત હોવાથી તેમણે નારદ ઋષિને માન આપ્યું નહીં, તેથી નારદે કેપ કરીને વિચાર્યું કે “આ મદ ભરેલા પુરૂની પાસે હું અભ્યાગત થઈને આવ્યું, તથાપિ તેઓ મને માન આપવાને ઊભા થયા નહીં. અરે આ નીચ ચેટીઓના નાટકને બહુ માન આપે છે, ને હું આવ્યો છું છતા તેઓ હીન જનની પેઠે મારી સામું પણ જેતા નથી! તેથી દાસીપર પ્રીતિ રાખનારા આ બને અધમ પુરૂષને તેની અવજ્ઞાનું ફળ હમણાજ હું બતાવું.” આ પ્રમાણે ચિંતવી નારદ પવનની પેઠે વૈતાઢવ્યગિરિ ઉપર રહેલા દમિતારિ રાજાની પાસે ગયા. લક્ષમીવડે ઈંદ્ર જેવો વિદ્યાધરને રાજા દમિતારિ સેંકડો વિદ્યાધરના પરિવાર સાથે બેઠે હતે. તે દૂરથી નારદને આવતા જોઈ સિંહાસન અને પાદુકાને ત્યાગ કરી સસંજમપણે તેને માન આપવાને ઉભે થયે. તેમને બેસવાને સિંહાસન અપાવ્યું. “તેવા ત્રષિએને જેટલું માન અપાય તેટલું થોડું છે.' નારદ તે સિંહાસન પર નહીં બેસતાં પિતાની સાથે લાવેલા દર્ભના આસન પરજ બેઠા. મહાત્માઓ ભકિતને જ ઇચ્છે છે, વસ્તુને ઇચ્છતા નથી, ત્રણ ખંડને વિજય કરનાર તે રાજાને નારદે કહ્યું-“વિદ્યાધરના રાજા અને મોટા પરાક્રમવાળા હે ત્રિખંડેશ્વર ! તમારું કલ્યાણ થાઓ. હે રાજન ! રાજ્ય, દેશ, નગર, ગોત્ર, સંબંધી, પરિગ્રહ અને તે સિવાય જે જે તમારા સંબંધમાં હોય તે સર્વને કુશળ છે?” દમિતારી બોલ્ય-“મુનિવર્ય! મારે સર્વત્ર કુશળ છે, તેમાં પણ તમારા અનુગ્રહથી વિશેષ કુશળ છે. મહાશય! આપને એક વાત પૂછું છું કે તમે નિરંતર સ્વછંદપણે આકાશમાં ફરે છે તે કઈ ઠેકાણે પૂર્વે ન જોયેલું હોય તેવું કાંઈ આશ્ચર્ય તમારા જેવામાં આવ્યું છે?” આ પ્રશ્ન સાંભળી “હવે આપણે મને રથ સિદ્ધ થઈ ચુક્યો એવું મનમાં ચિંતવી હર્ષવડે કપલ પ્રફુલ્લિત કરતા નારદ દમિતારિ રાજા પ્રત્યે બોલ્યા-“હે રાજન! આ પૃથ્વીમાં બ્રમણ કરવાના ફળરૂપ, દેવલેકમાં પણ ન સંભવે તેવું એક આશ્ચર્ય આજે જ મારા જેવામાં આવ્યું છે. શુભા નામની માટી નગરીમાં આજેજ ક્રીડાને માટે હું ગયે હતું, ત્યાં અનંતવીર્ય રાજા સભામાં બેઠેલા હતા અને તેની પાસે બર્બરિકા અને કિરાતી નામની બે રમણીઓ આશ્ચર્ય પમાડે તેવું નાટક ભજવી બતાવતી હતી. હું કૌતુકથી સ્વર્ગમાં અને પૃથ્વી પર ફર્યા કરૂં છું; પણ એવું અદ્ભુત નાટક કેઈ ઠેકાણે મારા જેવામાં આવ્યું નથી. હે રાજા! સૌધર્મ દેવલેકના જેમ શકેંદ્ર તેમ આ વિજયાદ્ધમાં આશ્ચર્ય રૂ૫ વસ્તુમાત્રના તમે જ પાત્ર છે, તેથી જ્યાં સુધી તમે એ નાટક કરનારીને અહીં લાવશે નહીં ત્યાં સુધી તમારે વિદ્યા, પરાક્રમ,તેજ, હુકમ અને રાજ્ય ગમે તેવાં હોય તે પણ તે શા કામનાં છે? કાંઈ કામનાં નથી.” આ પ્રમાણે કહી નારદ મુનિ પૃથ્વીમાં જેમ બીજ વાવે તેમ સ્વાર્થ સિદ્ધ કરવા માટે ત્યાં કલેશબીજ વાવીને આકાશ માર્ગે ચાલ્યા ગયા. એમનાં વચન સાંભળતાં જ ત્રણ ખંડના ઐશ્વર્યથી ગવ પામેલા દમિતારિ રાજાએ અપરાજિતના બંધુ અનંતવીર્યની પાસે હત મેક. તે કુત શુભાનગરીમાં આવી અગ્રજ બંધુ સહિત સભામાં બેઠેલા અનંતવીર્યને નમસ્કાર કરી વચનની વિશિષ્ટ રચનાથી આ પ્રમાણે બે-“હે રાજન ! આ અર્ધ વિજયમાં જે કાંઈ અદૂભુત વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy