SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ श्री त्रिषष्ठि शलाका पुरुष चरित्र - - - પર્વ ત્રીજું ને ॐ प्रथम सर्गः त्रैलोक्यप्रभवे पुण्यसंभवाय भवच्छिदे । श्रीसंभवजिनेन्द्राय मनोभवभिदे नमः ॥१॥ ત્રણ લેકના સ્વામી, પવિત્ર જન્મવાળા, સંસારને છેદનારા અને કામદેવને ભેદનાર એવા શ્રી સંભવનાથ જિતેંદ્રને નમસ્કાર કરીને પૃથ્વીને પવિત્ર કરનારું અને કર્મરૂપી લતાને છેદનારૂં એવું તેમનું (શ્રીસંભવનાથ સ્વામીનું) ચરિત્ર હું કહીશ. ધાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રને વિષે કુશળપણના સ્થાનરૂપ ક્ષેમપુરી નામે એક પ્રખ્યાત નગરી છે, ત્યાં સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર જાણે ઈદ્ર અવતર્યો હોય એ વિશાળ બુદ્ધિવાળો વિપુલવાહન નામે રાજા છે. બાગવાન જેમ બગીચાનું પાલન કરે તેમ એ રાજા અવિશ્રાંતપણે સર્વ પ્રકારના શલ્ય (દુઃખ)ને ઉછેદ કરી વિધિથી પ્રજાનું પાલન કરતો હતે. પથિકની જેમ દેશને પ્રીતિકારી એવી એ રાજાની નીતિરૂપી સરિતા નિરંતર તરફ પ્રસરતી હતી. અસહ્ય શાસનને ધારણ કરનાર એ રાજા એ નીતિવંત હતો કે જે પિતાના અપરાધને પણ બીજાના અપરાધની પેઠે જરા પણ સહન કરતો નહીં. જેમ સારી ચિકિત્સા કરનાર વિઘ રગના પ્રમાણમાં રોગીઓને એષધ આપે છે, તેમ એ રાજા ગુન્હેગારને તેના ગુન્હા પ્રમાણે જ દંડ આપતો હતો, અને ગુણ પુરૂષોની તેમના ગુણ પ્રમાણે પૂજા કરતા હતે. ચોગ્યતા પ્રમાણે વર્તવું તે વિવેકી પુરૂષોના વિવેકનું ફળ છે. એ રાજાને બીજા લેકોની જેમ મદ થવાનાં સ્થાન પણ મદને અર્થે થયાં નહોતાં, કારણકે વર્ષા કરતુ જેવી રીતે નદીને ગર્વ કરાવે છે તેવી રીતે સમુદ્રને કરાવી શકતી નથી. ચૈત્યની જેમ તેના હૃદયમાં હંમેશાં સર્વજ્ઞ દેવ રહેતા હતા, જૈનશાસ્ત્રની પેઠે તેની વાણીમાં સર્વજ્ઞના ગુણનીજ પ્રશંસા હતી, તીર્થકર દેવ અને સુસાધુરૂપ ગુરૂને જ તે પોતાનું મસ્તક નમાવતે હતે અને બીજા સર્વે તેને નમતા હતા. આત્ત અને રૌદ્ર સિવાયના શુભ ધ્યાનવડે મનનું, સ્વાધ્યાય કરવાવડે વાણીનું અને જિનેશ્વરની પૂજા વડે શરીરનું તેણે પરમ ફળ મેળવ્યું હતું. વસ્ત્રમાં . જેમ ગળીને રંગ સ્થિર રહે છે તેમ તેનામાં બાર પ્રકારનો શ્રાવકધર્મ હમેશાં સ્થિર રહેલો હતો. મેટા મનવાળે એ રાજા બાર પ્રકારના રાજકમાં જેવી રીતે જાગ્રત રહે તેવી જ રીતે બાર પ્રકારના શ્રાવકધર્મ માં પણ જાગ્રત રહેતા હતા. પવિત્ર આત્માવાળે તે રાજા, ધર્મરૂપ B - 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy