SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨] જયાદેવીએ ધારણ કરેલ પ્રભુગર્ભ [પર્વ ૪ થું ત્યાં પ્રત્યેક મંદિરે શેભે છે. સુગંધી ધૂપના ધુમાડાની શ્રેણિઓથી અનેક વાસાગરો સર્ષિણીઓથી પાતાળભવનની જેમ સારી રીતે શેભે છે. તેમાં નગરની સ્ત્રીઓ નિરંતર ક્રિીડા કરે છે એવા ક્રીડાસરેવરો ક્ષીરસમુદ્રમાંથી નીકળતી અપ્રસરાઓના વિલાસને ધારણ કરે છે. લીલાથી જ સ્વરવાળી પર્જકૈશિકી નામની ગીતિને ગાયન કરનારી ત્યાંની સ્ત્રીઓ મયૂરની કકાવાણી સાથે સ્પર્ધા કરે છે. ત્યાંના ધનાઢચ લેકમાં તાંબૂલની બીડીને ધારણ કરતી સ્ત્રીઓ પઢાવવાને માટે હાથમાં પોપટ રાખીને ફરતી હોય તેવી જણાય છે. તે નગરીમાં પરાક્રમથી જાણે ઇંદ્ર હોય અને કાંતિથી જાણે સૂર્ય હોય તેવા ઈફવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા વસુપૂજ્ય નામે રાજા છે. મેઘ જેમ ગર્જના કરીને પછી જળવડે પૃથ્વીને તૃપ્ત કરે છે તેમ એ રાજા વાચકોને બોલાવવાને ઢંઢેરો પીટાવીને પછી ધનવડે સર્વને તૃપ્ત કરતે હતે, પ્રતાપ માત્રથી શત્રુઓને દબાવનારા એ રાજાના અનેક સૈનિકે દિગ્વિજયને માટે નહીં પણ ફક્ત ક્રીડા કરવાને માટેજ પૃથ્વીમાં ફરતા હતા. આજ્ઞારૂપી સારવાળો એ રાજા દુષ્ટોને સખ્ત શિક્ષા કરતું હતું તેથી “ચોર” એ શબ્દ–નામ કેશમાંજ ફક્ત જોવામાં આવતું હતું, કેમ! નહીં. ધર્મશાળી પુરૂષામાં પ્રીતિવાળા એ રાજાએ શ્રીવત્સના ચિન્ડની પેઠે સર્વજ્ઞના પવિત્ર શાસનને હૃદયમાં ધારણ કરેલું હતું. પિતાના કુળરૂપે સરોવરમાં હંસી જેવી, રૂપથી રતિને જીતનારી અને પ્રીતિનું પાત્ર એવી જયા નામે તેમને પટ્ટરાણી હતી. વક્ર અને મંદ ગમન કરનારી એ રમણી, ગંગા અસ્ત થવાને વખતે (પ્રાતે) જેમ સમુદ્રમાં પેસે તેમ વસુપૂજ્ય રાજાના મનમાં પેસતી હતી, અને શુદ્ધ ફાટિક મણિની જેવા નિર્મળ એ રાણીના ચિત્તમાં સદૂભક્તિથી પરમાત્માની જેમ વસુપૂજ્ય રાજા પેસતા હતા. રૂપ, લાવણ્ય અને નિર્મળ ગુણોથી સદશ એવા એ રાજદંપતીને વિલાસ કરતાં કરતાં અદ્વૈત સુખમય સર્વ કાળ નિગમન થતું હતું. આ તરફ પ્રાણુત દેવલેકમાં પક્વોત્તર રાજાના જથે ઉત્કૃષ્ટ સુખમાં મગ્ન થઈને પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી જયેષ્ઠ માસની શુકલ નવમીએ શતભિષા નક્ષત્રને ચંદ્ર સાથે વેગ થતાં ચ્યવીને તે જયાદેવીની કુક્ષિમાં અવતર્યા. તે સમયે સુખે સુતેલા જયદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન યા, અશ્વની રેખા ચંદ્રને અને પર્વતની ગુફા સિંહને જેમ ધારણ કરે તેમ જયાદેવીએ અત્યુત્તમ ગર્ભને ધારણ કર્યો. અનુક્રમે ફલ્શનમાસની કૃષ્ણ ચતુર્દશીએ શતભિષા નક્ષત્રમાં રસતા વર્ણવાળા અને મહિષ (પાડા)ના લાંછનવાળા એક પુત્રને જન્મ આપે. આસનકંપવડે છપ્પન દિકુકમારીઓએ પ્રભુના જન્મને જાણે પ્રભુ અને તેમની માતાનું યથોચિત સૂતિકાકર્મ કર્યું. ત્યાર પછી પાલક વિમાન ઉપર આરૂઢ થઈને શક્રઈંદ્ર પિતાને પરિવાર લઈ ત્યાં આવ્યા, અને તત્કાળ પ્રભુની જેમ પ્રભુના સૂતિકા ગૃહને પ્રદક્ષિણા કરી પછી તેમાં પ્રવેશ કરી, જયાદેવીને અવસ્થાપિની નિદ્રા આપી, તેમની પડખે પ્રભુના પ્રતિબિંબને સ્થાપન કરી, પોતે પાંચ રૂપ કર્યા. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા બીજા રૂપે, છત્ર ધર્યું, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યા, અને એક રૂપે વજ લઈને આગળ ચાલ્યા. ત્યાંથી સુમેરૂ પર્વત પર જઈ અતિપાંડુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy