SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લ]. ચંડવેગડૂતનું પતનપુર આવવું [૯૧ સ્વામીનું ચિત્ત વ્યગ્ર થાય છે ત્યારે કલાવાને પોતાની કલા બતાવવાને અવકાશ રહેતો નથી. તે વખતે સંગીતના રંગને ભંગ કરનાર તે દૂતને જોઈને ત્રિપૃષ્ટ કુમારથી તે સહન થયું નહીં, તેથી તેણે પિતાની પડખે રહેલા કોઈ પુરૂષને પૂછ્યું-“અરે ! સમયને નહી જાણનાર આ પુરૂષારૂપી પશુ કેણુ છે કે જેણે પોતાના આગમનની ખબર આપ્યા વગર પિતાજીની સભામાં પ્રવેશ કર્યો અને એને જોઈને પિતાજી સંભ્રમથી કેમ સામા ઊભા થયા? અને તેને પ્રવેશ કરતાં છડીદારે કેમ અટકાવ્યો નહીં?” આ પ્રમાણે જ્યારે ત્રિપૃષ્ટ કુમારે પૂછયું, ત્યારે તે પુરૂષ બલ્ય એ રાજાધિરાજ હયગ્રીવ મહારાજનો દૂત છે. આ ત્રિખંડ ભરતક્ષેત્રમાં જેટલા રાજાઓ છે તે સર્વે તે મહારાજાના કિંકર છે, તેથી તમારા પિતા તેના દૂતને માન આપવાને સામા ઉડ્યા અને તેથી જ ઉચિતને જાણનારા દ્વારપાળે તેને અટકાવ્યો નહીં. કારણકે એ મહારાજાના શ્વાનને પણ પરાભવ કરી શકાય નહીં; તે પુરૂષને તો કેમ જ કરી શકાય? આ દૂત હયગ્રીવ રાજાને માનીતા છે, અને એને પ્રસન્ન કરવાથી મહારાજા હયગ્રીવ પણ પ્રસન્ન થાય છે. આ દૂતના પ્રસાદથી જ રાજાઓનાં રાજ્યો આબાદીમાં છે. આ દૂતની અવજ્ઞા કરીને તેને ખીજવ્યો હોય તે તે મહારાજા પણ ખીજાય છે, કારણ કે રાજાઓ દૂતની દષ્ટિને અનુસારેજ પ્રવર્તે છે. જ્યારે યમરાજની પેઠે દુસહ મહારાજા હયગ્રીવ ખીજાય ત્યારે રાજાઓ જીવવાને પણ અસમર્થ છે, તો પછી રાજ્યની તે વાત જ શી કરવી?” આ પ્રમાણે સાંભળીને તત્કાળ ત્રિપૃષ્ટ કુમાર બાલ્યો-“આ જગતુમાં અમુક સ્વામી કે અમુક સેવક એવો નિર્ણય હોતો નથી; એ સર્વ પોતપોતાની શક્તિને આધીન છે. હું વાણી માત્રથી હમણા કાંઈ કહેતો નથી, કારણકે પોતાની પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી એ પુરૂષોને લજજા પમાડનાર છે, તથાપિ સમય પ્રાપ્ત થયે મારા પિતાને તિરસ્કાર કરનાર એ હયગ્રીવને પરાક્રમવડે છિન્નગ્રીવ કરી (ગ્રીવા છેદી) ભૂમિપર પાડી નાખીશ. હે સેવક ! જ્યારે પિતા એને વિદાય કરે ત્યારે તું મને ખબર આપજે, જેથી હું તેને યોગ્ય હશે તે બતાવી આપીશ.” આવાં ત્રિપૃષ્ણકુમારનાં રાજવિરૂદ્ધ વચન પણ તે પુરૂષે સ્વીકાર્યા; કારણ કે સેવકોએ રાજાના પુત્રને પણ રાજાની પ્રમાણે જ માનવો જોઈએ. પછી ચંડવેગ દૂતે પિતાને જેમ કેઈ અધિકાર પર નીમેલ સેવક હોય તેમ પ્રજાપતિ રાજાને ઉદ્દેશીને કેટલાએક રાજપ્રયોજન કહી સંભળાવ્યાં. રાજાએ તે સર્વે મનપૂર્વક કબૂલ કર્યા અને ભેટ વિગેરે આગળ ધરીને ચંડવેગને વિદાય કર્યો. પરિવાર સહિત રથમાં બેસી. એ દૂત પ્રસન્ન થઈ પિતનપુરની બહાર નીકળી પોતાની નગરી તરફ ચાં. તેને રવાને કર્યાના ખબર જાણીને મહા બળવાન ત્રિપૃષ્ણકુમારે આગળ જઈ પવન સહિત દાવાનલ જેમ વટેમાર્ગુને અટકાવે તેમ તેને અટકાવ્યો અને કહ્યું કે “રે ધીઠ ! પાપિન્ટ! દુષ્ટ ! પશુ! તું ત છતાં રાજાની પેઠે કેમ વર્તે છે? હે મૂ! જેવી રીતે તે સંગીતરંગનો ભંગ કર્યો, તેવી રીતે બીજો મરવાને ન ઇચ્છત કો સચેતન પશુ પણ કરે? એક સાધારણ ગૃહસ્થને ઘેર રાજા આવે તો પણ તે પિતે પહેલાં ખબર આપીને પછી પ્રવેશ કરે એવી વિદ્વાની નીતિ છે; તે છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy