SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું. ભગીરથની ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાની ભાવના ૩૪૧ વાર મસ્તક ઝૂંપ્યું અને હાથવડે તેના પૃષ્ઠભાગને સ્પર્શ કર્યો. સગરરાજાએ ભગીરથને સ્નેહના ગૌરવથી કહ્યું-“હે વત્સ ! તું બાળ છતાં પણ વય અને બુદ્ધિવડે વિર પુરુષને અગ્રણી છે, માટે હવે હું બાળ છું એમ ન કહેતાં આ મારા રાજ્યભારને ગ્રહણ કર; જેથી અમે ભારરહિત થઈને સંસારસાગરને તરીએ. આ સંસાર જે કે સ્વયંભૂરમણ સમુદ્રની જેમ હુસ્તર છે, તે પણ મારા પૂર્વજો તરી ગયા છે તેથી મારી પણ શ્રદ્ધા થઈ છે, હે વત્સ! તેમના પુત્રો પણ રાજ્યભાર ગ્રહણ કરતા હતા, તેથી તેમને બતાવેલ એ માગ છે તે તું પણ પાળ અને આ પૃથ્વી ધારણ કર.” ભગીરથ પિતામહને નમસ્કાર કરી આ પ્રમાણે છે -“પિતાજી ! તમે સંસારને તારનારી પ્રવ્રજથી ગ્રહણ કરવાને ઈચ્છે છે તે યુક્ત છે, પરંતુ તે સ્વામિન્ ! હું પણું વ્રત ગ્રહણ કરવાને માટે ઉત્સુક થયેલ છું તેથી રાજ્યદાનના પ્રસાદવડે તમે મને અપ્રસન્ન કરશે નહીં.” ત્યારે ચક્રવતીએ કહ્યું-“હે વત્સ ! અમારા કુળમાં વ્રત ગ્રહણ કરવું તે યુકત છે, પણ તેથી ગુરુની આજ્ઞાપાલન કરવારૂપ વ્રત ગ્રહણ કરવું તે અધિક છે; માટે હે મહાશય ! તમે સમય આવે ત્યારે મારી જેમ દીક્ષા લેજે અને જ્યારે તમારે બખ્તરધારી પુત્ર થાય ત્યારે તેની ઉપર આ પૃથ્વીને ભાર ધારણ કરજે.” એવી રીતે સાંભળીને ભગીરથ ગુરુની આજ્ઞાન ભંગથી ભય પામ્યું અને ભવભીરુ એવા તેનું મન ઘણી વાર સુધી દેલાયિત થતાં તે મૌન રહ્યો. પછી પોતાના સિંહાસન ઉપર ભગીરથને બેસારી તે જ વખતે ચક્રીએ પરમ હર્ષથી તેને રાજ્યાભિષેક કર્યો. તે વખતે ઉદ્યાનપાલકએ આવીને ચક્રીને બાહ્ય ઉદ્યાનમાં અજિતનાથ પ્રભુ સમવસર્યા છે એવી વધામણી આપી. પૌત્રના રાજ્યાભિષેકથી અને સ્વામીના આગમનથી ચક્રવત્તીને અધિક અધિક હર્ષોત્કર્ષ થયો. ત્યાં રહ્યા છતાં પણ તેણે ઊઠીને પ્રભુને નમસ્કાર કર્યો અને જાણે આગળ ઊભા હોય તેમ શક્રસ્તવવડે સ્તુતિ કરી. સ્વામીના આગમનને કહેનારા તે ઉદ્યાનપાલકોને ચક્રીએ સાડાબાર કટિ સુવણું આપ્યું અને સામંતાદિકથી પરવારેલા સગરચક્રી ભગીરથ સહિત મોટા સંભ્રમથી સમવસરણ સમીપે ગયા. ત્યાં ઉત્તરદ્વારના માર્ગથી સમવસરણમાં પ્રવેશ કરીને પિતાને આત્મા જાણે સિદ્ધિ ક્ષેત્રમાં પેઠો હોય તેમ તેઓ માનવા લાગ્યા. પછી ચક્રી, ધર્મચક્રી એવા તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી આગળ આવીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા“મારા પ્રસાદથી તમારે પ્રસાદ કે તમારા પ્રસાદથી મારો પ્રસાદ એ અન્યાશ્રયને ભેદ કરો અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હે સ્વામિન ! તમારી રૂપલક્ષમીને જેવાને ઇંદ્ર પણ સમર્થ નથી અને સહસ્ત્ર જીભવાળો શેષ તમારા ગુણે કહેવાને પણ સમર્થ નથી. હે નાથ ! અનુત્તર વિમાનના દેવેના સંશયને પણ તમે હરે છે, તે તેથી તમારે કો ગુણ વધારે વસ્તુતાએ સ્તુત્ય છે ? અશ્રદ્ધાળુ પુરુષ આવી વિરુદ્ધ વાત ઉપર કેમ શ્રદ્ધા રાખે ? કારણ કે તમારામાં આનંદસુખની શક્તિ અને વિરક્તિ બંને સાથે છે. હે નાથ ! તમારી આ ઘટના ઘટે છે પણ તે દુર્ઘટ છે કે તમે સર્વ સત્વમાં ઉપેક્ષા રાખે છે અને વળી પરમ ઉપકારીપણું ધરાવે છે. હે ભગવંત ! તમારા જેવું બીજા કેઈમાં વિરુદ્ધપણું દેખાતું નથી; કેમકે તમારામાં પરમ નિર્ગથતા અને પરમ ચક્રવત્તતા બંને સાથે છે. જેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy