SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું પરમાત્માની દેશનાઅલેકનું વર્ણન २७७ કુષ્માંડ અને પાચક એ આઠ નામ છે. તે દરેકના બે બે ઈદ્રો છે, તેમના સનિહિત ને સમાન, ધાતુ ને વિધાતૃ, ઋષિ ને ઋષિપાળ, ઈવર ને મહેશ્રવર, સુવત્સક ને વિશાળ, હાસ ને હાસરતિ, શ્વેત ને મહાત, પચક ને પચકધિપ એવાં નામ છે. તે વાણુવ્યંતર કહેવાય છે.” “રત્નપ્રભાના તળની ઉપર દશે ન્યૂન આઠ સે જન જઈએ ત્યારે જ્યોતિષ્ક મંડળ આવે છે. પ્રથમ તારાઓ છે. તેની ઉપર દશ એજન સૂર્ય છે. સૂર્યની ઉપર એંશી ચેજને ચંદ્ર છે. તેની ઉપર વીશ યોજનામાં ગ્રહો રહેલા છે. એ પ્રમાણે જાડાઈમાં એક સો દશ એજનમાં તિર્લોક રહે છે. જબૂદ્વીપના મધ્યમાં મેરુપર્વતથી અગિયારસ ને એકવીશ પેજન છેટું, મેરુને નહીં સ્પર્શ કરતું, મંડળાકારે રહી સર્વ દિશામાં વ્યાપ્ત થઈ રહેલું યાતિચક્ર ભમ્યા કરે છે. ફક્ત એક ધ્રુવનો તારે નિશ્ચળ છે. તે જોતિષચક્ર લેકના અંત ભાગથી અગિયાર સે ને અગિયાર જન અંદર રહીને લેકાંતને નહીં સ્પર્શ કરતું મંડળાકારે રહેલું છે. નક્ષત્રોમાં સર્વની ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને સર્વેની નીચે ભરણી નક્ષત્ર છે. સર્વથી દક્ષિણમાં મૂલ નક્ષત્ર છે અને સર્વથી ઉત્તરમાં અભિજિત નક્ષત્ર છે. આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. લવણેદધિમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. કાળદધિમાં બેંતાળીશ ચંદ્ર અને બેંતાળીશ સૂર્ય છે. પુષ્કરાદ્ધમાં તેર ચંદ્ર અને બેતેર સૂર્ય છે. એવી રીતે અઢીદ્વીપમાં એક સે ને બત્રીશ ચંદ્ર અને એક સે બત્રીશ સૂર્ય રહેલા છે. તેમાંનાં એક એક ચંદ્રને અડ્યાશી ગ્રહે, અઠ્યાવીશ નક્ષત્રો અને છાસઠ હજાર નવ સો ને પંચોતેર કટાકેટી તારાઓને પરિવાર છે. ચંદ્રનું વિમાન વિસ્તારમાં અને લંબાઈમાં એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા છપ્પન ભાગનું છે. સૂર્યનું વિમાન તેવા અડતાળીશ અંશોનું લાંબુ–પહેલું છે. ગ્રહોનાં વિમાન અદ્ધ જનનાં છે અને નક્ષત્રોનાં વિમાન એક એક ગાઉના છે. સર્વથી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તારાનું વિમાન અર્ધાકેશનું છે અને સર્વથી જઘન્ય આયુષ્યવાળા તારાનું વિમાન પાંચ સો ધનુષનું છે. તે વિમાન ઊંચાઈમાં મત્ય ક્ષેત્રની અંદરના ભાગમાં (પીસ્તાળીસ લાખ જનમાં) લંબાઈ કર પ્રમાણમાં છે, તે સર્વ વિમાનેની નીચે પૂર્વ તરફ સિંહ છે, દક્ષિણ તરફ હાથીઓ છે, પશ્ચિમ તરફ વૃષભે છે અને ઉત્તર તરફ અ છે. તેઓ ચંદ્રાદિકનાં વિમાનનાં વાહને છે. તેમાં ચંદ્ર-સૂર્યના વાહનભૂત સોળ હજાર આભિગિક દેવતાઓ છે, ગ્રહના આઠ હજાર છે, નક્ષત્રના ચાર હજાર છે અને તારાઓના બે હજાર આભિયોગિક દેવતા છે. પિતાના સ્વભાવથી જ ગતિ કરનારા ચંદ્રાદિકના વિમાનની નીચે તેઓ આભિયોગ્ય કર્મવડ કરીને નિરતર વાહનરૂપ થઈને રહે છે. માનત્તર પર્વતની બહાર પચાસ પચાસ હજાર અને પરસ્પર અતરિત થયેલા સૂર્ય અને ચંદ્ર સ્થિરપણે રહેલા છે. તેમના વિમાન મનુષ્યક્ષેત્ર સંબંધી ચંદ્ર-સૂર્યના માનથી અરધા પ્રમાણુવાળા છે. અનુક્રમે દ્વીપોની પરિધિની વૃદ્ધિથી તેમની સંખ્યા વધતી જાય છે. સારી લેશ્યાવાળા અને ગ્રહ, નક્ષત્ર તથા તારાઓથી પરિવારિત થયેલા, સંખ્યારહિત (અસંખ્ય) એવા સૂર્ય ને ચંદ્રો ઘંટાને આકારે મનેહર * આવા સિંહ વિગેરેના રૂપ ધારણ કરીને તેના વાહનભૂત આભિયોગિક દેવતાઓ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy