SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજા વિધિ ૦ ૬૬૯ ફરતાં અને ફર્યા પછી પણ દેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું. પછી મૂળનાયક પ્રભુની સન્મુખ જઈ સ્તુતિના શ્લોકો બોલવા. પુરુષોએ જમણી અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઊભા રહેવું. સ્તુતિ બોલતી વખતે પોતાનું અર્ધું અંગ નમાવવું. પૂજા કરનારે પોતાના કપાલમાં, ગળે, છાતીએ અને નાભિએ-એમ ચાર તિલક કરવાં. પછી દેરાસર સંબંધી કાર્યના ત્યાગ રૂપ બીજી ‘નિસીહિ’ કહી દ્રવ્યપૂજામાં જોડાવું. અષ્ટ પ્રકારી પૂજાનો ક્રમ અષ્ટપ્રકારી પૂજા કરવી. એ આઠ પ્રકારોમાં પહેલા ત્રણ પ્રકારોની પૂજાને અંગપૂજા કહેવાય છે. જ્યારે બાકીના પાંચ પ્રકારોની પૂજાને અગ્રપૂજા કહેવાય છે. પહેલી ત્રણ પૂજા પ્રભુના અંગને સ્પર્શ કરીને કરવાની હોવાથી, તેને ‘અંગપૂજા' કહેવાય છે અને બીજી પાંચ પ્રભુની સન્મુખ રહીને કરવાની હોવાથી ‘અગ્ર પૂજા' કહેવાય છે. જેના શરીરમાંથી રસી ઝરતી હોય તેણે અંગપૂજા પોતે નહિ કરવી, પણ પોતાનાં ચંદન-પુષ્પ આદિથી બીજા પાસે કરાવી અગ્રપૂજા તથા ભાવપૂજા પોતે કરવી. ૧. જલપૂજા-પ્રથમ પંચામૃતથી (દૂધ, દહીં, સાકર, ઘી અને પાણી ભેગાં કરીને) શ્રી જિન પ્રતિમા આદિને પખાળ કરી, ચોખ્ખા પાણીથી ન્હવણ કરવું. ત્રણ અંગલૂછણાં પોતાના હાથે જ બહુમાનપૂર્વક બરાબર કરવાં. શ્રી વીરવિજયજી મહારાજ કૃત સંક્ષિપ્તઅષ્ટપ્રકારી પૂજાના દુહા (૧) જલ-પૂજાનો દુહો જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હજો, માગો એમ પ્રભુ પાસ. Jain Education International For Private & Personal Use Only ૧. www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy