SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ચોવિહાર કે તિવિહાર ઉપવાસ કે પુરિમă, આયંબિલ કે એકાસણાનું પચ્ચક્ખાણ કરવું જોઈએ. ખાસ કારણ હોય તો ગુરુની આજ્ઞાથી સા૪પોરિસી કે પોરિસી-આયંબિલ-એગાસણાનું પચ્ચક્ખાણ પણ કરી શકાય. (૮) પછી સર્વ મુનિરાજને બે વાર ખમા. પ્રણિપાત કરી, ઇચ્છકાર તથા ‘ગુરુખામણા-સુત્ત'નો પાઠ બોલી વંદન કરવું. (૯) પછી લઘુશંકા કરવી હોય (માતરું કરવું હોય) તો કૂંડી, પૂંજણી અને અચિત્ત જળની યાચના કરવી. તથા માતરિયું પહેરીને પૂંજણી વડે કૂંડી પૂંજીને, તેમાં માતરું કરીને પરઠવવાની જગાએ જવું. ત્યાં કૂંડી નીચે મૂકી નિર્જીવ ભૂમિ જોઈને ‘અનુજ્ઞાળહૈં નસ્તુળો' કહીને મારું પરઠવવું. પરઠવ્યા પછી પાછી કૂંડી નીચે મૂકી ત્રણ વાર ‘વોસિરે’ કહી, કૂંડી મૂળ જગાએ મૂકી, અચિત્ત જળ વડે હાથ ધોઈ, વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ આવવું અને ખમા. પ્રણિ. કરીને ઈરિયાવહી પડિક્કમીને-ગમણા ગમણે સૂત્ર આલોવવાં. અહીં એટલું યાદ રાખવું કે જ્યારે જ્યારે પોષધશાળા કે ઉપાશ્રયની બહાર જવાનો પ્રસંગ આવે ત્યારે ત્રણ વાર ‘આવસહી’ કહેવી અને અંદર પ્રવેશ કરતાં ત્રણ વાર ‘નિસ્સીહી’ કહેવી. (૧૦) પોસહ લીધા પછી જિનમંદિરે દર્શન કરવા જવું જોઈએ. તેનો વિધિ આ પ્રમાણે સમજવો : કટાસણું ડાબે ખભે નાખી, ઉત્તરાસણ કરી, ચરવળો ડાબી કાખમાં અને મુહપત્તી જમણા હાથમાં રાખીને ઈર્યાસમિતિ શોધતાં મુખ્ય જિનમંદિરે જવું. ત્યાં ત્રણ વાર ‘નિસ્સીહી' કહીને મંદિરના આદ્ય દ્વારમાં પ્રવેશ કરવો અને મૂળનાયકજીની સંમુખ જઈ દૂરથી પ્રણામ ફરીને ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી બીજી વાર ‘નિસ્સીહી' કહી રંગમંડપમાં પ્રવેશ કરી દર્શન-સ્તુતિ કરીને ખમા. પ્રણિ. કરી ઇરિયાવહી પડિક્કમવા. પછી મંદિર સો હાથથી દૂર હોય તો ‘ગમણાગમણે’ આલોવવા અને ત્રણ વાર ખમા. પ્રણિ. કરી ‘નિસ્સીહિ' કહીને ચૈત્યવંદન કરવું. તે પૂર્ણ થયે જિનમંદિરમાંથી બહાર નીકળતાં ત્રણ વાર ‘આવસહી' કહી ઉપાશ્રયે આવવું. ત્યાં ત્રણ વાર ‘નિસ્સીહિ’ કહીને પ્રવેશ કરવો અને સો હાથ ઉપરાંત જવાનું થયું હોય તો ઇરિયાવહી પડિક્કમવા તથા ‘ગમણાગમણે’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy