SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વિધિના હેતુઓ દિવસ અને રાત્રિના છેડે નિત્ય પ્રતિક્રમણ કરવા છતાં કોઈક અતિચારનું વિસ્મરણ થયું હોય, અથવા સંભારવા છતાં ભયાદિકને લીધે ગુરુ સમક્ષ તેનું પ્રતિક્રમણ ન કર્યું હોય, અથવા મંદ પરિણામને લીધે તેનું સમ્યફ પ્રકારે પ્રતિક્રમણ ન થયું હોય, તેવા અતિચારોને પ્રતિક્રમવા માટે તથા વિશેષ શુદ્ધિને અર્થે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાનાં છે. કહ્યું છે કે.. "जह गहं पइ-दिवसं पि, सोहियं तह वि पव्व संधीसु । सोहिज्जइ सविसेसं एवं इहयं पि नायव्वं ॥" –જેમ ઘર પ્રતિદિવસ સાફ કરવામાં આવે છે, છતાં પર્વના દિવસોમાં વિશેષ પ્રકારે સાફ કરાય છે, તેમ અહીં પણ જાણી લેવું. ૧. પાક્ષિકાદિ-પ્રતિક્રમણમાં પ્રારંભનો “સાવગ-પડિક્કમણ-સુત્ત' સુધીનો વિધિ દૈવસિક પ્રતિક્રમણ પ્રમાણે કરવાનો છે, એટલે તેના હેતુઓ પણ તે પ્રમાણે સમજવા. તે પછી તરત જ પમ્મીપ્રતિક્રમણ શરૂ કરવાનો હેતુ એ છે કે પખી-પ્રતિક્રમણ એ ચોથું આવશ્યક છે, તેથી તેનું અહીં અનુસંધાન થાય. ૨. પછી ગુર્નાદિકને ખમાવવા-પૂર્વક જ સર્વ અનુષ્ઠાનો સફળ થાય છે, તેથી‘અભુઢિઓ હં સંબુદ્ધા ! ખામણેણં' ઇત્યાદિ પાઠ વડે ગુર્વાદિક સંબુદ્ધોને ખમાવવામાં આવે છે, પરંતુ ગુર્નાદિકને ખમાવતાં પહેલાં દ્વાદશાવર્ત-વંદન કરવામાં આવે છે અને તેવું વંદન કરતાં પ્રથમ મુહપત્તીની પડિલેહણા કરવામાં આવે છે. આવી રીતે સંઘ સાથે એટલે કે પ્રતિક્રમણમાં જેટલા હોય તેમની સાથે મુહપત્તીનું પડિલેહણ કરનારી વ્યક્તિ પ્રતિક્રમણની માંડલીમાં ગણાય છે. તેથી જેણે પ્રતિક્રમણ પાછળથી સ્થાપવામાં આવ્યું હોય તથા મુહપત્તીનું પડિલેહણ પ્ર.-૩-૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy