SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ યથાવિધિ પારી “નમોડતું.”નો પાઠ બોલી પૂર્વાચાર્યકૃત ચાર થોઈ-વાળી સ્તુતિની પ્રથમ ગાથા બોલવી. પછી લોગસ્સ' સૂત્રનો પાઠ બોલી, “સબૂલોએ અરિહંત-ચેઈઆણ કરેમિ કાઉસ્સગ્યું સૂત્ર કહી, “અન્નત્થ' સૂત્ર બોલી, એક નમસ્કારનો કાઉસગ્ગ કરી, પારીને થઈની બીજી ગાથા બોલવી. પછી “પુષ્પરવરદીવ' સૂત્ર બોલીને “સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ’ ‘વંદણવત્તિઆએ.” સૂત્ર કહી, “અન્નત્થ' સૂત્ર બોલી, એક નમસ્કારનો કાઉસગ્ગ કરી, પારીને થઈની ત્રીજી ગાથા બોલવી. પછી “સિદ્ધાણં બુદ્ધાણં' સૂર કહી, “વેયાવચ્ચગરસુત્ત' કહી, અન્નત્થ' સૂત્ર કહી, એક નમસ્કારનો કાઉસગ્ગ કરી, પારીને નમોડર્ણત. કહી થઈની ચોથી ગાથા બોલવી. - પછી યોગમુદ્રાએ બેસીને “નમોઘુર્ણ' સૂત્રનો પાઠ બોલવો તથા ભગવદાદિવંદન સૂત્ર” બોલીને ચાર ખમા. પ્રણિ. કરીને ભગવાન હમ્ આચાર્ય હમ્ ઉપાધ્યાય હમ્ અને સર્વ સાધુ હમ્ એ પ્રમાણે થોભવંદન કરવું. પછી “ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદું છું એમ કહેવું. (૪) પ્રતિક્રમણની સ્થાપના પછી “ઇચ્છા. દેવસિઅ-પડિકમણે ઠાઉં ?' એમ કહી પ્રતિક્રમણની સ્થાપના કરવા અંગે આજ્ઞા માંગવી અને ગુરુ “ઠાએહ’ એમ કહે, ત્યારે ઇચ્છે' કહી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને તથા મસ્તક નીચું નમાવીને “સવસ વિ' સૂત્ર બોલવું. (૫) પહેલું અને બીજું આવશ્યક (સામાયિક અને ચતુર્વિશતિ-સ્તવ) પછી ઊભા થઈ “કરેમિ ભંતે' સૂત્ર તથા “અઈઆરાલોઅણ-સુત્ત' એટલે “ઇચ્છામિ, ઠામિ કાઉસ્સગ્ગ. જો મે દેવસિઓ' સૂત્ર “તસ્ત ઉત્તરી સૂત્ર તથા “અન્નત્થ' સૂત્ર બોલી “અઈયાર-વિયારણ-ગાહા (અતિચારો વિચારવા માટેની ગાથાઓ)નો કાઉસ્સગ કરવો. અહીં જ્ઞાનાચાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy