SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) શ્રી સ્થાપનાચાર્યની પડિલેહણ વિધિ સાક્ષાત ગુરુ મહારાજ વિદ્યમાન ન હોય તો સામાયિકાદિ ધર્મ કરણી કરતાં ગુરુ ગુણ યુક્ત એવા ગુરુ મહારાજની સભૂત સ્થાપના જરૂર સ્થાપવી અથવા તેવા સ્થાનકે અક્ષ*–આદિ અથવા જ્ઞાન, દર્શન કે ચારિત્રનાં ઉપકરણ સ્થાપીને ધર્મકરણી કરવી. અક્ષમાં, વરાટકમાં, ચંદન પ્રમુખ કાટમાં, અને પુસ્તકમાં કે ઓળખેલા ચિત્રમાં સદૂભાવ અને અસદૂભાવના ગર સ્થાપના અલ્પકાળની અને ચિરસ્થાયિની અથવા યાવત દ્રવ્યભાવિની એમ અનેક પ્રકારે કરવામાં આવે છે. ગુરુ ગુણ યુક્ત સાક્ષાત્ ગુરુનો વિરહ હોય, ત્યારે તેવા ઉત્તમ ગુણના નિધાન રૂપ ગુરુ મહારાજની સ્થાપના સ્થાપવી, તે ધર્મકરણીમાં ગુર મહારાજની સંમતિ બતાવવા માટે છે જાણે કે ગુરુ મહારાજ સમીપે જ વર્તીને આપણે એઓની આજ્ઞાનુસારે જ સઘળી ધર્મકરણી કરીએ છીએ. જેમ જિનેશ્વર ભગવાનના વિરહ જિન બિંબની સેવના-સ્તુતિ સફળ કહી છે તેમ સાક્ષાત્ ગુરુ મહારાજના અભાવે (વિરહમાં) ગુરુ મહારાજની કરેલી સ્થાપના સમીપે કરવામાં આવતી યથાવિધ સઘળી ધર્મકરણી સફળ થાય છે-એ પ્રમાણે ગુરુસ્થાને સ્થાપેલ સ્થાપનાચાર્યનું દરરોજ પ્રતિલેખન સમયે તેર બોલ-બોલવા વડે પડિલેહણ કરવામાં આવે છે * (૧) ગોળ શંખાકૃતિને “અક્ષ' કહેવામાં આવે છે, જે હાલ બહુધા સ્થાપનાચાર્ય તરીકે રાખવામાં આવે છે. અને (૨) “વરાટક' - તે ત્રણ લીટીવાળા કોડા જાણવા. તેની સ્થાપના હાલમાં લગભગ જોવામાં આવતી નથી. ૩. જે ગુરુ મહારાજની તદાકાર મૂર્તિ-પ્રતિમા (ફોટોગ્રાફ વગેરે) હોય તેને “સભાવ સ્થાપના' કહેવાય છે. અને અક્ષ, વરાટક, પુસ્તક પ્રમુખ વડે અતડાકાર મૂર્તિ કરેલી હોય તે “અસદ્ભાવે સ્થાપના' કહેવાય છે. પ્ર.-૩-૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy