SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જેમ માર્ગને જાણનારો મનુષ્ય ગમનાદિ-ચેષ્ટા-રહિત હોવાથી ઈષ્ટ સ્થળે પહોંચી શકતો નથી, અથવા ઈષ્ટ દિશામાં લઈ જનાર વાયુની ક્રિયા વિનાનું વહાણ, ઇચ્છિત બંદરે પહોંચાડતું નથી, તેમ ચારિત્રરૂપી સક્રિયા રહિત જ્ઞાન પણ. મોક્ષરૂપ ઇચ્છિત અર્થ પ્રાપ્ત કરાવતું નથી. તાત્પર્ય કે તે માટે જ્ઞાન ઉપરાંત કુશળ ક્રિયાની પણ આવશ્યકતા છે. (૬) પ્રત્યાખ્યાન એ જ કુશળ ક્રિયા અહીં એવો પ્રશ્ન પુછાવા સંભવ છે કે “કુશળ ક્રિયા કઈ કહેવાય ?” એનો ઉત્તર એ છે કે જે ક્રિયાથી ખરાબ ટેવો, બૂરી આદતો કે સ્વચ્છંદી વર્તન દૂર થાય અને આત્મા વિરતિ, વ્રત, નિયમ, સુશીલ કે સદાચારમાં આવે, તે કુશળ ક્રિયા કહેવાય, કારણ કે તેનું ફળ મુક્તિ, મોક્ષ, શિવ-સુખ, પરમાનંદ કે પરમપદની પ્રાપ્તિ છે અને આવી ક્રિયા તે નિગ્રંથ-નાયકોએ પ્રરૂપેલું પ્રત્યાખ્યાન છે, એટલે પ્રત્યાખ્યાન એ જ કુશલ ક્રિયા છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં પ્રત્યાખ્યાન નથી, ત્યાં કુશલ ક્રિયા સંભવતી નથી. (૭) પ્રત્યાખ્યાનના પર્યાય શબ્દો પ્રત્યાખ્યાનના પર્યાય શબ્દો અનેક છે જેમ કે નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આમ્રવદ્વાર-નિરોધ, નિવૃત્તિ, ચારિત્ર-ધર્મ, શીલ વગેરે. એટલે શાસ્ત્રમાં જ્યાં નિયમની પ્રશંસા કરી હોય, અભિગ્રહને અનુમોદન આપ્યું હોય, વિરમણવ્રત કે વિરતિનું માહાભ્ય પ્રકાડ્યું હોય, આમ્રવદ્વાનો નિરોધ કરવાની ઘોષણા કરી હોય, નિવૃત્તિ પર ભાર મૂક્યો હોય, ચારિત્ર-ધર્મનો ઉપદેશ આપ્યો હોય કે શીલની સુંદરતા સમજાવી હોય, ત્યાં આ પ્રત્યાખ્યાનની જ સુંદરતા પ્રકાશેલી છે, એમ સમજવાનું છે. (૮) પ્રત્યાખ્યાનના મુખ્ય પ્રકારો શાસ્ત્રકાર મહર્ષિઓએ પ્રત્યાખ્યાનના મુખ્ય પ્રકારો બે માનેલા છે : એક દ્રવ્ય-પ્રત્યાખ્યાન અને બીજું ભાવ-પ્રત્યાખ્યાન. તેમાં જે પ્રત્યાખ્યાન અંતરના ઉલ્લાસથી રહિત હોય, તે દ્રવ્ય-પ્રત્યાખ્યાન છે અને અંતરના ઉલ્લાસથી સહિત હોય, તે ભાવ-પ્રત્યાખ્યાન છે. આ દ્વિવિધ પ્રત્યાખ્યાનમાં મહત્તા ભાવ-પ્રત્યાખ્યાનની છે, કારણ કે તે સમ્યક્રચારિત્રરૂપ હોઈ અવશ્ય મુક્તિનું સાધન બને છે. પરંતુ આ પ્રત્યાખ્યાનની પાયરીએ ચડવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy