SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આદિ પોતાના સ્વરૂપથી પાછો ન પડનાર, (૪) ટાઢ, તાપ, વાયુ આદિથી ખેદ ન પામનાર, (૫) અજરામર કરનાર યોગરૂપી અમૃત-રસાયણ પીવાની ઈચ્છા રાખનાર, (૬) રાગ-દ્વેષથી પરાભવ ન પામનાર, (૭) ક્રોધ, માન, માયા અને લોભથી દૂષિત નહિ થનાર, (૮) સર્વ કાર્યમાં નિર્લેપ રહેનાર, (૯) આત્મભાવમાં રમણ કરનાર, (૧૦) કામ-ભોગથી વિરક્ત થનાર, (૧૧) પોતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહતા રાખનાર, (૧૨) સંવેગરૂપી હૃદ(દ્રહ-સરોવર)માં મગ્ન થનાર, (૧૩) શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પથ્થર, તથા નિંદા અને સ્તુતિમાં સમભાવ રાખનાર, (૧૪) રાજા કે રંકના તુલ્ય કલ્યાણનો ઇચ્છુક, (૧૫) સર્વ જીવો પર કરુણા કરનાર, (૧૬) સંસારનાં સુખોથી પરાક્ષુખ, (૧૭) ઉપસર્ગ-પરીષહમાં મેરુપર્વતની માફક અડોલ રહેનાર, (૧૮) ચંદ્રમાની માફક આનંદદાયક, (૧૯) વાયુની માફક નિઃસંગ અને (૨૦) સદ્દબુદ્ધિવાળો ધ્યાતા (ધ્યાન સિદ્ધ કરવા માટે) પ્રશસ્ય (યોગ્ય) ગણાય છે.” શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં એ વાત પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે કે – તસ્વિનો મન:શુદ્ધિ, વિનામૂતણ સર્વતા. ध्यानं खलु मुधा चक्षुर्विकलस्येव दर्पणः ॥ ४४ ॥ જેમ આંખો વગરનાને દર્પણ નકામું છે તેમ સર્વદા મનની શુદ્ધિ વગરના તપસ્વીને ધ્યાન નકામું છે.' (૮) મનઃશુદ્ધિ કયારે થાય ? અહીં એવો પ્રશ્ન થવા સંભવ છે કે “મનઃશુદ્ધિ કેવી રીતે થાય ? અથવા મન પર કાબૂ કેવી રીતે મેળવી શકાય ?' એનો ઉત્તર શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ત્રેવીસમા અધ્યયનમાં આ રીતે અપાયેલો છે : શ્રીકેશમુનિ ગૌતમસ્વામીને પૂછે છે : 'अयं साहसिओ भीमो, दुट्ठस्सो परिधावई । નંસિ પોયમ ! મારૂઢો, તે ને હીરવિ ? | બધ ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy