SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ કાયોત્સર્ગના આ મહત્ત્વને લઈને પડાવશ્યકમાં તેનું વિશિષ્ટ સ્થાન છે તથા છ પ્રકારની આત્યંતર તપશ્ચર્યામાં પણ તેની ખાસ ગણના છે.* - કાયોત્સર્ગનું આ મહત્ત્વ બરાબર સમજવા માટે અહીં કેટલીક વિચારણા પ્રસ્તુત છે. (૨) કાયોત્સર્ગનો અર્થ પ્રથમ કાયોત્સર્ગનો અર્થ સમજીએ. “યસ્થ સત્સ: કાયોત્સ:” એ તેનો સીધો ને સાદો અર્થ છે. પરંતુ કાયાનો ઉત્સર્ગ તો દેહાંત કે મૃત્યુને સૂચવે છે, અને તે અર્થ અહીં સંગત નથી, એટલે આ પદોનો અર્થ વિશેષ સ્પષ્ટીકરણ માગે છે. શાસ્ત્રકારોના કથન મુજબ અહીં છા-શબ્દથી માત્ર ઔદારિક કે સ્થૂલ શરીર સમજવાનું નથી, પણ તેના વડે થતો અમુક પ્રકારનો વ્યાપાર કે તેના પ્રત્યેનું મમત્વ સમજવાનું છે. અથવા ઉત્સશબ્દથી માત્ર પરિત્યાગ સમજવાનો નથી, પણ “વેછાં પ્રતિ પરિત્યા?'–“ચેષ્ટા પરત્વેનો ત્યાગ “મારામોજીનીત્યા પરિત્યા":'–‘આગમોમાં કહ્યા મુજબનો ત્યાગ સમજવાનો છે. પરંતુ કાયોત્સર્ગનું સાચું સ્વરૂપ સમજવા માટે આટલો અર્થ પર્યાપ્ત નથી. તે માટે સંપ્રદાય તરફ નજર રાખવાની જરૂર છે. - કાયોત્સર્ગ કરવાનો સંપ્રદાય એવો છે કે સ્થાન, મૌન અને ધ્યાનપૂર્વક આત્માના મલિન અધ્યવસાયોનું વિસર્જન કરવું.* એટલે પ્રથમ કાયાને કોઈ પણ આસનથી સ્થિર કરવી. જો કાયોત્સર્ગ ઊભા ઊભા કરવો હોય તો તે માટેનું ખાસ આસન એટલે કાયોત્સર્ગાસન કરવું, બેઠા બેઠા કરવો હોય તો પદ્માસનાદિનો આશ્રય લેવો ને સૂતા સૂતા કરવો હોય તો દંડાસનાદિનો ઉપયોગ કરવો. પછી વાણીને મૌન વડે સ્થિર કરવી અને મનને ધ્યાન વડે સ્થિર કરવું. તેમાં પ્રશસ્ત અધ્યવસાયોનો આશ્રય લેવો ને + નંદિસૂત્રમાં કહ્યું છે કે – “ fઉં તે માવસર્ચ 2 માવસર્ષ વ્યાં પUળd I d નહીં सामाइयं १, चउवीसत्थओ २, वंदणय ३, पडिक्कमणं ४, काउस्सग्गो ५, पच्चक्खाणं ६' ' ભગવન્! તે આવશ્યક કેવું છે? તે આયુષ્મન્ ! તે આવશ્યક છ પ્રકારનું કહેવું છે. જેમ કે (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદનક, (૪) પ્રતિક્રમણ (પ) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. * “કાળાં મળે ફાળેf Mા વોસમ !' -૭ કાયોત્સર્ગસૂત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy