SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સંતિકર’ સ્તવન ૫૫૧ સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે ?‘“તસ્મિન્નેવ તીર્થે સમુત્પન્નાં વૈરોટ્યાં देवी कृष्ण-वर्णां पद्मासनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्त दक्षिणकरां मातुलिङ्ग शक्तियुक्त વામહસ્તાં વ્રુતિ ાશા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી વૈરોટ્યાદેવી શ્યામવર્ણની કમલાસના અને ચતુર્ભુજા છે. તેના જમણા બે હાથમાં વરદ અને જપમાળા છે તથા ડાબા બે હાથમાં બિજોરુ અને શક્તિ છે. (૨૦) શ્રીમુનિસુવ્રતસ્વામીની શાસનદેવીનું નામ અચ્છુપ્તા છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : ‘“તસ્મિન્નેવ તીર્થ સમુત્પન્નાં વવત્તાં (अच्छुप्तां) देवी गौर वर्णां भद्रासनारूढां चतुर्भुजां वरदाक्षसूत्रयुत- दक्षिणकरां વૌનપૂર-દ્મ-યુત-વામહસ્તાં ચેતિ રા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી વરદત્તા (અચ્છુપ્તા) દેવીનો વર્ણ ગૌર છે, ભદ્રાસન પર બેઠેલી છે તથા ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથમાં વરદ અને જપમાળા છે તથા ડાબા બે હાથમાં બિજોરુ અને કુંભ છે. (૨૧) શ્રીનમિનાથ ભગવાનની શાસનદેવીનું નામ ગાંધારી છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “નમે ગાન્ધારીતેવી શ્વેતાં હંસवाहनां चतुर्भुजां वरद-खड्गयुक्त - दक्षिणभुजद्वयां बिजपूर (क)- कुम्भयुतવામ(મુન)યાં વેતિ ।।૨।'' શ્રીનમિનાથની ગાંધારી દેવી શ્વેત વર્ણની, હંસના વાહનવાળી અને ચાર ભુજાથી યુક્ત છે. તેના જમણા બે હાથ બિજોરુ અને કુંભથી વિભૂષિત છે. (૨૨) શ્રીરિષ્ટનેમિ ભગવાનની શાસનદેવી અંબા કે અંબિકા છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તસ્મિન્નેવ તીર્થ સમુત્પન્નાં कूण्मांडी देवी कनक- -वर्णां सिंहवाहनां चतुर्भुजां मातुलिङ्ग-पाशयुक्त - दक्षिणकरां પુત્રાદુશાન્વિત-વામાં ચેતિ ર્રા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી કૂષ્માણ્ડી (અંબિકા) દેવી સુવર્ણ-વર્ણની, સિંહવાહના તથા ચતુર્ભુજા છે. તેના જમણા બે હાથમાં બિજોરુ અને પાશ છે તથા ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે. (૨૩) શ્રીપાર્શ્વનાથ ભગવાનની શાસનદેવીનું નામ પદ્માવતી છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે :‘“તસ્મિન્નેવ તીર્થં સમુત્પન્નાં પદ્માવતી देवी कनक-वर्णां कुर्कुट वाहनां चतुर्भुजां पद्म-पाशान्वित - दक्षिणकरां Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy