SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ દેશ આહાર-પોષધ' કહેવાય છે અને ચઉવિહાર ઉપવાસ કરવો, તે “સર્વ આહાર-પોષધ' કહેવાય છે. તે માટે આવશ્યક-ચૂર્ણિમાં જણાવ્યું છે કે'आहार-पोसधो (हो) दुविधो देसे सव्वे य, देसे अमुगा विगती आयंबिलं वा एकंसि वा, दो वा सव्वे चतुव्विधो वि आहारो अहोरत्तं पच्चक्खातो । आव० હરિ વૃ૦ પૃ. ૮રૂપ મા. આહાર-પોષધ બે પ્રકારે થાય છે : “દેશથી અને સર્વથી. દેશમાં અમુક વિકૃતિ(વિગઈ)નો ત્યાગ કરવામાં આવે છે, આયંબિલ કરવામાં આવે છે, એકાસણું કરવામાં આવે છે કે બેઆસણું કરવામાં આવે છે. “સર્વ'માં ચારે આહારનાં અહોરાત્ર-પર્યત પચ્ચખાણ કરવામાં આવે છે. વર્તમાનમાં ઓછામાં ઓછું એકાસણું કરવામાં આવે છે. સરીર-અક્ષર-પોસદું-શરીર-સત્કાર-પોષધ. શરીર-સત્કાર-પોષધ બે પ્રકારે થાય છે : (૧) “દેશથી અને (૨) સર્વ'થી. તેમાં સ્નાનાદિ અમુક પ્રકારનો શરીર-સત્કાર ન કરવો, તે દેશ શરીર-સત્કાર-પોષધ' કહેવાય છે અને સર્વ પ્રકારના શરીર-સત્કારનો ત્યાગ કરવો, તે “સર્વ શરીર-સત્કાર પોષધ” કહેવાય છે. તે માટે મા. સી. પૃ. ૮૩૫ મામાં કહ્યું છે કે :- “રીર-પોથો (હો) રાષ્ટ્રધ્વટ્ટાવUUવિન્નેવ પુષ્પ-iतंबोलाणं वत्थाभरणाणं च परिच्वागो य, सो वि देसे सव्वे य, देसे अमुगं सरीर ક્ષાર રેમ, અમુક ન કરેમિ ઉત્ત, સળે મોરd,'-શરીર પોષધ સ્નાન, ઉદ્વર્તન, વર્ણક (પીઠી ચોળવી, રંગ વડે આલેખવાની ક્રિયા). વિલેપન, પુષ્પ, ગંધ, તંબોલ અને વસ્ત્રાભરણોના ત્યાગરૂપ છે. તે પણ “દેશ” અને “સર્વ એમ બે પ્રકારનો છે. તેમાં “દેશ'ને વિશે અમુક શરીર-સત્કાર કરીશ ને અમુક નહિ કરું, એવું (પ્રત્યાખ્યાનો હોય છે, જયારે “સર્વ'માં અહોરાત્રપર્યત સર્વનો ત્યાગ હોય છે. વંમર-પોદું-બ્રહ્મચર્ય-પોષધ. બ્રહ્મચર્ય-પોષધ બે પ્રકારે થાય છે : (૧) “દેશથી અને (૨) “સર્વથી. તેમાં અમુક છૂટ રાખીને બાકીનો સમય બ્રહ્મચર્યનું પાલન કરવું, તે દેશ બ્રહ્મચર્ય-પોષધ' કહેવાય છે અને સર્વાશે બ્રહ્મચર્યનું પાલન કરવું, તે “સર્વ બ્રહ્મચર્ય-પોષધ' કહેવાય છે. તે માટે આવશ્યક હરિ રી. . ૮૩૫ માં કહ્યું છે કે “વિંભર-પાથો (હો) સવૅ , સે તિવી રત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy