SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૦૯ પટાવાળી તે શુદ્ધ-સન્ન-જીત-પત્િનાન ઘટા. શુદ્ધ-નિર્દોષ, દોષ રહિત. જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે "भीअं दुअमुप्पिच्छं, उत्तालं च कमसो मुणेयव्वं । काग-स्सरमणुणासं, छद्दोसा होन्ति गेअस्स ॥" (૧) ભીત-બીતાં બીતાં ગાવું તે. (૨) કૂત-જલદી જલદી ગાવું તે. (૩) ઉભેશ્ય-રોષે ભરાઈને આવેશપૂર્વક ગાવું તે. (૪) ઉત્તાલ-અતિતાલ કે અસ્થાન-તાલપૂર્વક ગાવું તે. (પ) કાક-સ્વર-કાગડાના જેવા કઠોર સ્વરે ગાવું તે. (૬) અનુનાસ-નાકમાંથી ગાવું તે. આ છ ગીતના દોષો છે.* સM-પ્રગુણ, વિશિષ્ટ ગુણથી યુક્ત. અનુયોગદ્વારસૂત્રમાં ગીતના આઠ ગુણો નીચે પ્રમાણે જણાવેલા છે : "पुण्णं रत्तमलंकियं च, वत्तं तहेव अविघुटुं । महुरं समं सुललियं, अट्ठ गुणा होन्ति गेअस्स ॥" સૂત્ર ૧૨૭. * સંગીત-શાસ્ત્રોમાં ગીતના ચૌદ દોષો કહેલા છે. તે આ રીતે : ૧. કંપિત-અવાજ થથરાવીને ગાવું તે. (૨) ભીત-બીતાં બીતાં ગાવું તે. (૩) ઉદ્ધષ્ટ-કઠોર ઉચ્ચાર કરીને ગાવું તે. (૪) અવ્યક્ત-અસ્પષ્ટતાથી ગાવું તે. (૫) અનુનાસિક-નાકમાંથી ગાવું તે. (૬) કાક-સ્વર-કાગડાના જેવો શબ્દ કરીને ગાવું તે. (૭) શિરસ્થ-બહુ ઊંચા સ્વરે ગાવું તે. (૮) સ્થાનવર્જિત-સ્વરના સ્થાનને છોડી દઈને ગાવું તે. (૯) વિસ્વર-અશુદ્ધ સ્વરથી ગાવું તે. (૧૦) વિરસ-રસ-હીન ગાવું તે. (૧૧) વિશ્લિષ્ટ-રાગમાં જે સ્વરો નિષિદ્ધ કરેલા હોય, તેનાથી ગાવું તે. જેમ કે માલકોશ રાગમાં અર્ધરાત્રિ પછી ઋષભ અને પંચમ નિષિદ્ધ છે, માલશ્રીમાં સાંજે ઋષભ અને મધ્યમ નિષિદ્ધ છે, વગેરે. (૧૨) વિષમ-લયથી ચૂકીને ગાવું તે. (૧૩) વ્યાકુલ-ગભરાઈને ગાવું તે. (૧૪) તાલ-હીન – ગાતાં ગાતાં તાલ ચૂકી જવો તે. કેટલાકના અભિપ્રાયથી પચીસ દોષો ન હોય તે શુદ્ધ ગીત કહેવાય છે. ૧. સંદષ્ટ-દાંત પીસીને ગાવું તે. (૨) અદેખું-જેનો અવાજ મધ્યમાં અટકી રહે તે. (૩) શંકિત સંયુક્ત ગાવું તે. (૪) કુરાગી-મોં ફાડી ખરાબ અવાજથી ગાવું તે (૫) ભીત-ડરીને ગાવું તે. (૬) કંપિત-અવાજ થથરાવીને ગાવું તે. (૭) કપાલી-ઘણા ઊંચા સ્વરે ગાવું તે. (૮) કાકી-કાગડાના જેવો સ્વર કરીને ગાવું તે. (૯) વિતાલ-તાલ વિના ગાવું તે. (૧૦) કરમ-ઊંટના જેવી ગરદન લાંબી કરીને ગાવું તે. (૧૧) અધર-ખોટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy