SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આ મહાકાવ્ય પરમાર્હત મહારાજા કુમારપાલની પ્રાર્થનાથી રચવામાં આવ્યું હતું. તેમ તેની અંતિમ પ્રશસ્તિમાં જણાવેલું છે. આશરે ૩૬૦૦૦ શ્લોકના નવરસથી ભરપૂર એ કાવ્યમાં તેમણે ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો અને ૯ બળદેવો મળીને ત્રેસઠ શલાકાપુરુષોની જીવનકથાઓ અદ્ભુત રીતે ગૂંથી છે. એ મહાકાવ્યના મંગલાચરણમાં તેમણે એક મહાકવિને છાજે તેવી રીતે કુલ ૨૬ શ્લોકોમાં ૨૪ તીર્થંકરોની સ્તુતિ કરેલી છે, જે આ સ્તોત્રના ૧ થી ૨૫ અને ૨૭મા શ્લોકમાં ગોઠવાયેલી છે. આ સ્તોત્રના ૩૩ શ્લોકો પૈકી ૨૮ શ્લોકો અનુષ્ટુપ છંદમાં, ૩ શ્લોકો શાર્દૂલવિક્રીડિત-છંદમાં, ૧ શ્લોક આર્યાગીતિમાં અને ૧ શ્લોક માલિની-છંદમાં છે કે જેનાં લક્ષણો પ્રસિદ્ધ છે. આ સ્તોત્રનું મૂળનામ ‘ચતુર્વિશતિ-જિન-નમસ્કાર' છે, પરંતુ તેના પ્રથમાક્ષરો પરથી તે ‘સકલાર્હત્ સ્તોત્ર’ના નામથી ઓળખાય છે. કેટલાક તેને ‘બૃહચૈત્યવંદન’ના નામથી પણ ઓળખે છે; કારણ કે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે મોટું ચૈત્યવંદન કરવામાં તેનો ઉપયોગ થાય છે. સ્તોત્રના પ્રથમ શ્લોકમાં કર્તાએ સ્તોતવ્ય વિષયનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે ‘આર્હત્ત્વ પ્રધ્ધિàઅમે આર્હત્ત્વ-અરિહંતના સ્વરૂપનું-ગુણ સમૂહનું ધ્યાન ધરીએ છીએ.’ ફલિતાર્થ કે આ સ્તુતિનો મુખ્ય વિષય અરિહંતના ગુણ-ગાનનો રહેશે. આર્હત્ત્વનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું છે કે ભાવરૂપે તે સર્વ અરિહંતોમાં સમાનરૂપે રહેલું છે, પછી શિવશ્રીનું અધિષ્ઠાન છે, અને ભૂ:, ભુવ: અને સ્વઃ એ ત્રણે લોકનું આધિપત્ય ધરાવે છે. અર્થાત્ અરિહંતપદ ત્રણે લોકમાં સર્વશ્રેષ્ઠ છે અને મંગલમય મુક્તિમાં લઈ જનારું છે. તેથી અમે તેનું ધ્યાન ધરીએ છીએ. બીજા શ્લોકમાં ગતનું ધ્યાન સર્વ ક્ષેત્ર અને સર્વકાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપથી થાય છે, એવું સૂચન કરીને તેમને વંદના કરી છે અને ત્યાર પછીના ચોવીસ શ્લોકમાં (૩ થી ૨૫ અને ૨૭) ચોવીસ તીર્થંકરો ક્રમશઃ સ્તવ્યા છે. આ સ્તુતિ જો કે પ્રત્યેક તીર્થંકરનાં નામપૂર્વક થયેલી છે, પરંતુ તેમાં જે ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે તે સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy