SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચખાણનાં સૂત્રો૦૧૩૭ પાણીના આહારનો નો કારસી, પોરિસી, સાઢ પોરિસી આદિના પ્રત્યાખ્યાનોના સમય પ્રમાણે ત્યાગ કરવામાં આવે છે. પરન્તુ “ચઉવિહાર' ઉપવાસના પ્રત્યાખ્યાનમાં તે ચારે પ્રકારના આહારનો ત્યાગ હોવાથી આ પ્રત્યાખ્યાન લેવાનું રહેતું જ નથી. અને આ પ્રત્યાખ્યાનમાં અનાભોગ સહસાકાર પ્રચ્છન્નકાલ, દિગ્મોહ, સાધુવચન, મહત્તરાકાર, સર્વસમાધિ-પ્રત્યયાકાર, એ સાત આગારો તથા પાણી સંબંધી છ આગારો જેમકે લેપ, અલેપ, અચ્છ, બહુલેપ, સસિક્ય અને અસિથે મળીને ૧૩ (તર) આગારો છે. અભિગ્રહ-આ પ્રત્યાખ્યાન વિશેષ પ્રકારો (ભેદો) વાળું છે. ‘jયવસરો ઉપહિ' *અભિગ્રહ પચ્ચક્ખાણોમાં પાંચ કે ચાર આગારો છે. તેમાં ”અપ્રાવરણના-(એટલે ચોલપટ્ટો પણ નહીં પહેરવો એવા) સર્વ વસ્ત્રોના ત્યાગમાં “ચોલપટ્ટાચાર' સાથે પાંચ આગારો છે. બાકીના અભિગ્રહોમાં ચાર આગારો આ પ્રમાણે છે :- અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યયાકાર. દિવસચરિમ એટલે સાયંકાળનાં પ્રત્યાખ્યાનમાં પાણહાર, ચઉવિહાર, તિવિહાર, દુવિહાર અને દેશાવકાશિકના પ્રત્યાખ્યાનો મુખ્ય હોય છે. તેમાં પાણહારનું પ્રત્યાખ્યાન એગાસણ, બિયાસણ, એગલઠાણ, નિવી કે આયંબિલ તિવિહાહા૨, ઉપવાસ તથા છટ્ટ આદિના પ્રત્યાખ્યાનવાળાએ બીજા દિવસે સવારે પાણહારનું પચ્ચખાણ લીધેલ હોય, તેમણે પણ સાંજે આ પ્રત્યાખ્યાન લેવાનું હોય છે, કે જેમાં અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકાર એ ચાર આગારોની છૂટ રખાય છે. * નાના પણ નિયમો વન્દન પૂર્વક ગુરુની પાસે જ ગ્રહણ કરવા અને એવા નિયમોમાં પણ “અનાભોગ-સહસાકાર' વગેરે ચાર આગારી રાખવા કે જેથી વિસ્મૃતિ વગેરેને યોગે ત્યાગ કરેલી વસ્તુ ભોગવાય છતાં લીધેલ નિયમ ભાંગ નહીં, પરન્તુ અતિચાર લાગે, (ત અતિચારોની આલોચનાથી શુદ્ધ થઈ શકાય.) * પૂર્વ કાળે સાધુઓને માટે એ પચ્ચક્ખાણ હતું, આજકાલ તે વ્યવહારમાં નથી. ધર્મસંગ્રહ ભાષાં, ભાગ-૧ પૃ પ૧૦ પાદનોંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy