SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વ્યવહાર રાખવો, તે જાણવા જેવું છે. જૈન શાસ્ત્રો કહે છે કે ‘જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે ગુરુ સાથે રહીને વિનય* શીખતો નથી, તે વાંસનાં ફળની માફક પોતાના જ નાશનું કારણ થાય છે.’ એ જે ગુરુ આચારવાન છે, ગુણનિષ્ઠ છે, તેમનું અપમાન કરવું, અગ્નિની પેઠે પોતાના સદ્ગુણોને ભસ્મીભૂત કરવા જેવું છે.' ‘ગુરુની અવહેલના કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું અશકય છે.’ * વિનય પાંચ પ્રકારનો છે-તે આ રીતે : (૧) લોકોપચાર-વિનય-લોક-વ્યવહાર નિમિત્તે થતું વિનયનું પ્રવર્તન. (૨) અર્થ-વિનય-ધનની પ્રાપ્તિ નિમિત્તે થતું વિનયનું પ્રવર્તન. (૩) કામ-વિનય-કામભોગની પ્રાપ્તિ નિમિત્તે થતું વિનયનું પ્રવર્તન. (૪) ભય-વિનય-ભયના કારણે થતું વિનયનું પ્રવર્ન. (૫) મોક્ષ-વિનય-મોક્ષ-પ્રાપ્તિના હેતુથી થતું વિનયનું પ્રવર્તન. આ પાંચ પ્રકારના વિનયોમાંથી મોક્ષ-વિનય મુમુક્ષુઓ માટે આદરણીય છે. મોક્ષ-વિનય પાંચ પ્રકારનો છે. તે આ રીતે : ૧. દર્શન-વિનય-શ્રીજિનેશ્વરદેવોએ ષડ્વવ્ય અને તેના પર્યાયોની તથા નવ તત્ત્વોની જે પ્રકારે પ્રરૂપણા કરી છે, તે જ પ્રકારે તેની શ્રદ્ધા રાખવી. ૨. જ્ઞાનવિનય-સ્વાધ્યાય યોગ્ય શ્રુતજ્ઞાનનું પઠન-પાઠન કરવું અને તેના આધારે સંયમમાર્ગમાં વર્તવું. ૩. ચારિત્ર-વિનય-અજ્ઞાન અને મોહનો નાશ કરવા માટે વિશિષ્ટ વ્રતોનું પાલન કરવું. ૪. તપો-વિનય-કર્મની નિર્જરા કરવા માટે નાના-વિધ તપોનું અનુષ્ઠાન કરવું. ૫. ઔપચારિક-વિનય-વિવિધ ઉપચારો વડે ગુરુનો આદર-સત્કાર કરવો. -દશવૈકાલિક-નિર્યુક્તિ. આ પાંચ પ્રકારના વિનયમાંથી ઔપચારિક વિનયને જ સામાન્ય રીતે ‘વિનય’ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy