SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પોતે આસન સ્વીકારવું.)”* શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં “(ગુરુ) વિનયનું સ્વરૂપ દર્શાવતાં જણાવ્યું છે કે : (૧) ગુરુજનોની પીઠ પાસે કે આગળ-પાછળ અડીને બેસવું નહિ. (૨) એકદમ પાસે બેસી પગ સાથે પગ અડાડવા નહિ. (૩) શય્યા કે પોતાના આસન પર બેસીને જ પ્રત્યુત્તર આપવો નહિ. (૪) ગોઠણ છાતી પાસે રાખી હાથ બાંધીને બેસવું નહિ. (૫) પગ લાવીને પણ બેસવું નહિ. (૬) આચાર્ય બોલાવે ત્યારે બેસી ન રહેતાં વિવેક-પૂર્વક પોતાનું આસન છોડીને તેમની પાસે જવું અને તેમને શું કહેવાનું છે તે સાંભળવું. (૭) પોતાની શય્યા કે આસન પર બેઠાં બેઠાં ગુરુને પ્રશ્ન પૂછવો નહિ. (૮) ગુરુની પાસે જઈ, હાથ જોડી, નમ્રતાપૂર્વક બેસી કે ઊભા રહીને પ્રશ્નનું સમાધાન મેળવવું. (૯) આવી રીતે વિનયથી વર્તનારને ગુરુએ સૂત્ર-વચન અને અર્થ એ બંને વસ્તુ અધિકાર મુજબ આપવી. [ગાથા ૧૮થી ૨૩.] તાત્પર્ય કે ગુરુની દરેક રીતે મર્યાદા સાચવવી અને તેમની સેવા કરવી એ ગુરુ પ્રત્યેનો “વિનય' છે. વઘુમા-ગુરુ પ્રત્યે પૂર્ણ આદરભાવ. વિનય બાહ્ય રીતે પણ થઈ શકે છે, એટલે આંતરિક ભાવની આવશ્યકતા દર્શાવવાને માટે “બહુમાન'નો જુદો ભેદ બતાવ્યો છે. ગુરુ પ્રત્યે અંતરથી પૂર્ણ સભાવ, પૂર્ણ પ્રીતિ કે પૂર્ણ આદર એ “બહુમાન'નું સ્વરૂપ છે. * યોગશાસ્ત્ર પ્રકાશ ૩, શ્લોક ૧૨૫-૬ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy