SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા-૨ અભ્યત્થાન, અંજલિકરણ (બે હાથ જોડવા), આસન આપવું, ગુરુ-ભક્તિ અને ભાવશુશ્રુષા એ વિનય કહેવાય છે.” જ્ઞાન-દાતા ગુરુનો “વિનય કરવો આવશ્યક છે. જો તેમ કરવામાં ન આવે તો શાસ્ત્રાભ્યાસનું યોગ્ય ફળ મળી શકતું નથી. શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિક ટીકામાં જણાવ્યું છે કે 'વિનયગૃહીત દિ તતwei મવતિ' (પૃ. ૨૦૭). એટલે “અવિનયથી ગ્રહણ કરેલું જ્ઞાન નિષ્ફળ થાય છે. તે માટે માતંગ પાસેથી વિદ્યા શીખનાર શ્રેણિક રાજાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. ગુરુ વગેરેના વિનય' પૂર્વક શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવો તે વિનય' નામનો બીજો “જ્ઞાનાચાર' છે. વઘુમાળ-વિદુકાને]-બહુમાનને વિશે. વહુમાન માગ્યન્ત: પ્રીતિપ્રતિવશ્વ:' (આ. પ્ર. પૃ. ૧૫) “બહુમાન એટલે આંતરિક પ્રીતિ રાખવી તે. ગુર, જ્ઞાન તથા જ્ઞાનોપકરણ પ્રત્યે આંતરિક પ્રીતિ કે ભાવોલ્લાસ તે “બહુમાન' નામનો જ્ઞાનાચારનો ત્રીજો ભેદ છે. સર્વદા-[૩પધા-ઉપધાનને વિશે. “૩પ-સમીરે થીય-યિતે સૂત્રાતિ પેન તપસા તદુપધાનમ્” (આ. પ્ર. ટી. પૃ. ૧૭). જે તપ વડે સૂત્રાદિક [આત્મ-સમીપમાં કરાય, તે ઉપધાન.” ઉપધાન એ જ્ઞાનાચારનો ચોથો વિભાગ છે. મનિષ્ઠવ -[અનિદ્ભવ-ગુર, જ્ઞાન અને સિદ્ધાંત વગેરેનો અપલાપ ન કરવાને વિશે. નિહ્ન-છપાવવું. તે પરથી નિહ્વ-છુપાવનાર એવું પદ બને છે. તેનો જે ભાવ તે નિદ્ભવન. એટલે છુષ્પાવવાની ક્રિયા, અપલાપ કરવો કે શઠપણું તે નિધ્રુવન છે. તે ન હોવું તે નિદ્ભવન. તાત્પર્ય કે અશઠપણું કે નિખાલસતા એ જ “અનિદ્વવન' છે. જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય, તેનું નામ છુપાવવું તે નિદ્વવન દોષ' છે. તે જ રીતે સિદ્ધાંતને છુપાવવો કે તેના પર ઢાંકપિછોડો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy