________________
૨૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
જે તિથિ-રહિત છે તે “અતિથિ. તેનો વિશેષ પરિચય આપતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે :
“તિથિ-પૂર્વોત્સવ: સર્વે, ત્યા યેન મહાત્મના ! अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥"
જે મહાત્માએ તિથિ અને પર્વના સર્વ ઉત્સવો તજ્યા છે તેને અતિથિ’ જાણવા. જેઓ હરહંમેશ રાતદિવસ સતત ઉત્તમ પ્રવૃત્તિમાં જ એકાગ્રતા યુક્ત અનુષ્ઠાન કરવાવાળા હોવાથી જેમને તિથિ-દિનનો વિભાગ નથી તે અતિથિ (યોગશાસ્ત્ર ભાષાંતર પૃ. ૭૨) અને તે સિવાયના બીજાને અભ્યાગત’ પરોણા-મહેમાન જાણવા.
“સંવિભાગ' શબ્દ સં અને વિમા એ બે પદોથી બનેલો છે. તેમાં સંનો અર્થ સંગતતા કે નિર્દોષતા છે, જે શાસ્ત્રાનુસારી વર્તનથી ઉત્પન્ન થાય છે. વિભાગ-વિશિષ્ટ ભાગ, પોતાના અર્થે તૈયાર કરેલા ખાનપાનનો અમુક અંશ સાધુએ ૪૨ દોષોથી રહિત ગોચરી કરવાની છે. તે આ પ્રમાણે :"सोलस उग्गमदोसा, सोलस उप्पायणा दोसा उ ।
સગા-કોસા, વીયાલીસં ય વંતિ ” -પંચાશક, ૧૩-૩.
૩. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકકૃત શ્રાવકધર્મપ્રજ્ઞપ્તિમાં તો અતિથિ એટલે સાધુઓ જ નહીં, પણ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા-એ ચારેયને ગણ્યાં છે. અને તે ચારેયનો અગર ચારમાંથી કોઈનો પણ સંવિભાગ કરવો, તેને, “અતિથિસંવિભાગ કહ્યો છે. તે પાઠ આ પ્રમાણે છે
अतिथिसंविभागो नाम अतिथयः-साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्च एतेषु गृहमुपागतेषु भक्त्याऽभ्युत्थानाऽऽसन (दान) पादप्रमार्जननमस्कारादिभिरर्चयित्वा यथाविभवशक्ति अन्न-पान-वस्त्रौषधालयादि प्रदानेन संविभागः कार्यः इति ॥"
ભાવાર્થ-અતિથિસંવિભાગ-એટલે અતિથિરૂપ સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ, તેઓ કોઈમાંથી પણ જયારે ઘર-આંગણે પધારે, ત્યારે ભક્તિપૂર્વક ઊભા થઈને આસન આપવું, પાદપ્રમાર્જન કરવું અને યથાયોગ્ય નમસ્કાર વગેરે કરવું, ઇત્યાદિ સત્કાર કરીને, પોતાના વૈભવ(ધન)ના પ્રમાણમાં આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, રહેવા માટે જગ્યા વગેરે આપીને સંવિભાગ કરવો.
ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૨૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org