SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ તેને લગતી પ્રતિલેખન-પ્રમાર્જનની ખાસ ક્રિયા, તેનો વિધિ. તેમાં પ્રમાદ કરવો એટલે તેમાં ભૂલ-ચૂક કરવી, તેના વિશે. તદ-[તથા-અને. ચેવ-[ pa]-તે જ પ્રમાણે. મોગામોu-[ોનનામી-ભોજનાદિની ચિંતા કરવામાં. ભોજન' એટલે આહાર, ઉપલક્ષણથી દેહ-સત્કાર વગેરે. તેનો આભોગ”—ઉપયોગ-વિચાર તે “ભોજનાભોગ”. એટલે ભોજન કે શરીરસત્કારની ચિંતા કરવી, તેને લગતા વિચારો કરવા, તે “ભોજનાભોગ” કહેવાય છે, તેના વિશે. સદ-વિદિ-વિવરી-[ષધ-વિધ-વૈપરીત્ય]-પોષધવિધિના વિપરીતપણાને વિશે. પોષધનો વિધિ તે પોપથવિધિ, તેનું જે વૈપરીત્ય-વિપરીતપણું તે પોપથવિધિ-વૈપરત્વ, તેના વિશે. 'पोषं-पुष्टिं प्रक्रमाद् धर्मस्य धत्ते करोतीति पोषधः ।' પોષ” એટલે પુષ્ટિ. પ્રક્રમથી-પ્રસ્તાવથી ધર્મ-સંબંધી, જે ધારણ કરે તે “પોષધઃ'. અથવા ‘પોર્ષ ઘરે પુષ્પાતિ વા ધર્માનિતિ પોષN:'-[ધર્મની] પુષ્ટિને ધારણ કરે અથવા ધર્મનું પોષણ કરે તે “પોષધ'. શ્રીહરિભદ્રસૂરિએ દસમા પંચાશકમાં તેની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે : પોસેફ ઋસમે, તીહરિ-વીણાdi | इह पोसहो त्ति भण्णति, विहिणा जिणभासिएणेव ॥१४॥" જે કુશલ ધર્મનું પોષણ કરે છે અને જેમાં શ્રીજિનેશ્વરદેવોએ કહેલા આહાર-ત્યાગ આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય છે, તે “પોષધ કહેવાય છે. શ્રીઉપાસકદશાંગસૂત્રમાં આ વ્રતનું નામ પોસદોવવા1 એટલે પોષધોપવાસ' આપેલું છે. શ્રીઅભયદેવસૂરિએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy