________________
૨૨૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
દેશાવકાશિક' વ્રતને સ્વીકારનારો માણસ તેની બહારના બધા સંબંધોથી મુક્ત રહે તે ઈચ્છવા યોગ્ય છે. છતાં તેમ ન બને તો દેશાવરથી આવેલા કાગળ કે તાર વગેરે વાંચવાની છૂટ રાખી શકે છે. પરંતુ આવા કોઈ પણ પ્રકારનો અપવાદ ન રાખ્યો હોય તો નિયમ બહારની પ્રવૃત્તિઓ સાથે સંબંધ રાખી શકાતો નથી.
આ વ્રતમાં ક્ષેત્ર-મર્યાદાની જેમ દ્રવ્ય-મર્યાદા પણ કરવામાં આવે છે કે જેને માટે ચૌદ નિયમોની ધારણા મુખ્ય છે. આ નિયમો નિત્ય ધારણ કરવાથી શ્રદ્ધા, સંયમ અને સદાચારની પુષ્ટિ થાય છે તથા આત્મ-તત્ત્વનું ચિંતન કરવાની સુંદર તક સાંપડે છે. “જીવન ભોગને માટે નથી પણ ધર્મ-સાધનાને માટે છે.” એ વાતનું સ્મરણ આ નિયમો પુનઃ પુનઃ કરાવે છે.
આ વ્રત ધારણ કરનાર માટે નીચેની પાંચ બાબતો અતિચારરૂપ માનવામાં આવી છે :
(૧) આનયન-પ્રયોગ. (૨) પ્રેષ્ય-પ્રયોગ. (૩) શબ્દાનુપાત. (૪) રૂપાનુપાત. (૫) પુદ્ગલ-ક્ષેપ.
અમુક ક્ષેત્રની મર્યાદા નક્કી કર્યા પછી બહારની કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તેના વિના ચલાવી લેવું યોગ્ય છે, પણ બીજાની મારફત મંગાવીને તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે તેમ કરવાથી વ્રતની મૂળ ભાવના-જે હિંસાદિ દોષોમાંથી બચવાની છે તે-સચવાતી નથી. ક્ષેત્રમર્યાદાની બહારથી કોઈ પણ વસ્તુ બીજાની પાસે મંગાવવી, એ આનયન-પ્રયોગ” નામનો પહેલો અતિચાર ગણાય છે. તે જ રીતે મજૂરસેવકને ક્ષેત્ર-મર્યાદાની બહાર મોકલી કોઈને સંદેશો પહોંચાડવો કે કોઈ વસ્તુ મંગાવવી, એ પ્રેષ્યપ્રયોગ' નામનો બીજો અતિચાર ગણાય છે અને “શબ્દ',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org