SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિતુ સૂત્ર ૧૫૭ કરવો, તે છવિચ્છેદ-વિધિ. શ્રાવકે મુખ્યવૃત્તિએ એવો વ્યાપાર ન કરવો કે જેમાં મજૂરો અથવા પશુઓ પાસે ભાર વહેવડાવવાથી આજીવિકા ચાલે. છતાં તેમ ન બની શકે તો મજૂરને તેટલો જ ભાર ઉપડાવવો કે જેટલો ભાર તે સુખ-પૂર્વક ઉપાડી શકે, બલ્ક તેથી ઓછો ભાર વહેવડાવવો, તેમજ ભોજન-સમયે બધાંને છૂટા કરી દેવાં; એ પ્રમાણે દયા-રહિત વર્તવું, તે આરોપણ-વિધિ. તથા અપરાધીને પણ “આજ તને ખાવા નહિ આપું.” એમ વચનમાત્રથી જ કહેવું, પરન્તુ તન ભૂખ્યો ન રાખવો અને ભોજન-સમયે તે અપરાધીને જમાડીને શ્રાવકે જમવું. કદાચ રોગાદિકની શાંતિ માટે ભૂખ્યો રાખવો પડે તો રાખે. સાર એ કે દયામાં ન્યૂનતા ન આવે તેમ અપરાધી પ્રત્યે પણ વર્તવાનું છે, તો નિરપરાધી એવા દાસ-દાસી-પશુઓને માટે તો કહેવું જ શું? એ પ્રમાણે કોઈને પણ ભોજનનો અંતરાય ન કરવો, તે ભક્ત-પાનવિચ્છેદ-વિધિ. (૧૦-૬) (૧) વધ-ક્રિયાથી, (૨) બંધન-ક્રિયાથી, (૩) અંગચ્છેદન ક્રિયાથી, (૪) અતિભાર ભરવાથી તથા (૫) ભોજન-પાણીનો અંતરાય કરવાથી, પ્રથમ વ્રતના (પાંચ) અતિચાર વિશે, દિવસ-દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય. તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે “સ્કૂલ-મૃષાવાદ-વિરમણ' નામના બીજા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે. (૧૧-૩) વી-[હિતી-બીજા (ને વિશે.) પુત્રયી *-[ગy] અણુવ્રતને વિશે. परिथूलग-अलियवयण-विरइओ-[परिस्थूलक -अलीकवचनવિરતિતઃ]-સ્થૂલ મૃષાવાદ-વિરતિ થકી. * દીર્ધસ્વર માટે આગળ ખુલાસો કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy